SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ 8-0¢00 **p??? ૩૪ ........રામ-લક્ષ્મણને ગયા, “હે પુત્ર ! તારા પિતાની જેમ તારા વંશમાં બીજા પણ જે રાજાઓ થઈ પણ સઘળાંય રાજાઓએ પૃથ્વીને ભોગવીને પ્રવ્રજ્યા જ અંગીકાર કરી છે. એ જ કારણે તારી માતા તને બહાર નથી નીકળવા દેતી, કારણકે રખેને તું પણ ધર્મને સાંભળીને અને સંવેગને પામીને સંસાર ત્યજી નીકળી જાય-એટલે કે દીક્ષા લઈ લે.” આ વૃત્તાંત ઉપરથી તમે સમજી શકશો કે વિવેકી સ્નેહી અને અવિવેકી સ્નેહી વચ્ચે કેટલું અંતર હોય છે. સુકોશલ મહારાજા ઉપર બંનેય-એક જન્મદાત્રી માતા અને બીજી ધાવમાતા-સ્નેહ ધરાવતી હતી, પણ એ બેયના સ્નેહમાં આકાશ અને પૃથ્વીની વચ્ચે જેટલું અંતર છે તેટલું જ અંતર હતું કારણકે જન્માત્રી માતાએ, સ્નેહના કારણે પુત્ર કોઈપણ રીતે મુક્તિમાર્ગની સાધનામાં ન યોજાઈ જાય, એ માટેની જ કાર્યવાહી કરી, જ્યારે ધાવમાતાએ પુત્ર પોતાના કલ્યાણમાર્ગથી વંચિત ન થઈ જાય, એવી વસ્તુસ્થિતિનું સાચું દર્શન કરાવ્યું. પત્ની હોવા છતાં સહદેવીએ પુત્રમોહના કારણે મહાવ્રતધારી એવા પણ પોતાના પતિ ઉપર ભયંકર ત્રાસ વર્તાવ્યો, જ્યારે શ્રીમતી વસંતલતા એ ત્રાસને નહિ ખમી શકી, એટલું જ નહિ પણ એ ત્રાસને જોઈને કંપી ઉઠી અને રોઈ ઉઠી. આવા ઉત્તમ કોટિના હિતૈષીનો યોગ છતાં પણ નિર્વિવેકી આત્માઓ કશું જ સાધી શકતા નથી, ત્યારે ‘વિવેકી આત્માઓ સાધ્યની સિદ્ધિ કર્યા વિના રહેતા જ નથી' એ વાતનો આપણને શ્રી સુકોશલ મહારાજાએ પૂરેપૂરો સાક્ષાત્કાર કરાવ્યો, કારણકે ધાવમાતા દ્વારા એ વાતને અને સાચી વસ્તુ સ્થિતિને જાણી કે તરત જ તે પુણ્યાત્મા, પાપિણી એવી પોતાની માતાનું મુખ પણ જોયા વિના એકદમ નગરમાંથી બહાર નીકળ્યા અને પિતામુનિવર પાસે પહોંચ્યા અને પરમ વિનયપૂર્વક વંદન કરીને તે પુણ્યાત્મા પોતાના પિતામુનિવર પાસે બેઠા અને ધર્મનો પરમાર્થ સાંભળીને તરત જ તે પુણ્યાત્મા શ્રી સુકોશલ મહારાજાએ ‘હે ભગવાન ! આપ મારા વચનને સાંભળો.' આ પ્રમાણે કહીને વિનંતી કરતાં જણાવ્યું કે - “આભિત્તે નિયયરે, નળો યેસ્તૂળ પુત્તમજાઇ अवहरडु तूरमाणो, सो ताण हियं विचिन्तन्तो ॥ ११ ॥ ॥” ‘મોહનિસંવભિત્તે, નયનોયઘરે મહ વોર્તુળ નિવવન્તો નાહ તુમ, ન ય નુત્ત સિ નોઇ ''
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy