SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેકીસ્નેહીમાં સાચી હિતેષીતા હોય છે વિવેકી આત્માની વિશિષ્ટ વિવેકશીલતા રાજા મટીને રાજર્ષિ બનેલા શ્રી કીર્તિધર અને શ્રી સુકોશલ નામના પિતાપુત્ર મુનિપુંગવો, સંયમની વિશિષ્ટ આરાધના કરે છે તથા એવી આરાધક દશામાં વિચરતા એ મુનિવરો ઉપર પણ, વાઘણ બનેલી સહદેવી, કે જે એકની પત્ની થાય છે અને એકની માતા થાય છે, તે પોતાના જ ઉત્પન્ન કરેલા વૈરના યોગે કેવી જીતનો જુલમ ગુજારવા ઇચ્છે છે અને એક સુકોશલ મહર્ષિ ઉપર તો કેવો જુલમ ગુજારે છે, એ સઘળું જોતા પૂર્વે આપણે એ જોઈએ કે અવિવેકી સ્નેહી અને વિવેકી સ્નેહી ઉભયની વચ્ચે કેટલું અંતર હોય છે ? તથા સુવિવેકી આત્માઓમાં કેવી જાતની વિશિષ્ટ વિવેકશીલતા હોઈ શકે છે? સહદેવી, એ શ્રી કીર્તિધર મહારાજાની પત્ની હતી અને શ્રી સુકોશલ મહારાજાની સગી માતા હતી, એટલે તે એ બંનેય મહારાજાઓ ઉપર પરમ સ્નેહવતી હતી એમ ગણાય, પણ સુકોશલ મહારાજાની ધાવમાતા, એ કંઈ શ્રી કીર્તિધર મહારાજાની પત્ની ન હતી, અને શ્રી સુકોશલ મહારાજાની સગી માતા ન હતી, કે જેથી ઉભય ઉપર પરમ સ્નેહવતી હતી એમ ગણાય, પણ આપણે કંઈ એવા સ્વાર્થી સ્નેહની કિંમત નથી આંકતા કે જેથી એ સ્નેહની ઓછાશ કે અધિકતા ઉપર વિચાર કરીએ. આપણે તો એ જ વિચારવા માંગીએ છીએ કે રહી હોવા છતાં પણ જે આત્મા વિવેકી વિવેકહીમાં સાચી જ હિતેષતા હોય છે..
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy