SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સત... ભાગ-૨ રામ-લક્ષ્મણને ત્યારે રાજરાણી અને રાજમાતા બનવાનો મોહના કારણે ઘોર પાપને આચરનારી તનવચ વિયોગોન, બ્રેઢમા સહવ્યા ? आर्तध्यानपरा मृत्वा, व्याय्यभूद गिरिगहवरे ॥ સહદેવી પુત્રના વિયોગથી ખેદને ભજનારી બનીને આર્તધ્યાનમાં મરીને ગિરિગુફામાં વાઘણ થઈ.” આ પ્રસંગ આજની ચર્ચાના અનેક મુદ્દાઓ ઉપર સારામાં સારો પ્રકાશ પાડી શકે તેમ છે. આજનાઓ કહે છે કે સંયમ લેનારાઓને પત્નીનું અને માતાનું શું થશે એ ખાસ જોવું જ જોઈએ, અન્યથા પત્ની ઉન્માર્ગે જાય અને માતા દુર્ગાન કરે, તેનું પાપ અવશ્ય સંયમધર થયેલા પતિને અને પુત્રને લાગે ! પણ આની સામે આ પ્રસંગ કહે છે કે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી વિધિ મુજબ સંયમનો સ્વીકાર કરનારા આત્માઓએ એ વિચારવાનું જ નથી કે મોહમાં જ મસ્ત બનેલ અને ધર્મથી પરમુખ થયેલ પત્નીનું કે માતાનું શું થશે ! કારણકે સદાને માટે વિરક્ત આત્માઓ કરતા સંસારરક્ત આત્માઓની દશા જુદી જ હોય છે! સંસારરક્ત આત્માઓની રાગદશાને પોષવાની ફરજ વિરક્ત આત્માઓ ઉપર અનંતજ્ઞાની ઉપકારીઓએ નાખી જ નથી, એ જ કારણે સંયમધરની પત્ની કે માતા પાછળથી સંસારસિકતાના કારણે આર્તધ્યાનાદિને વશ બનીને દુર્ગતિમાં જવા છતાં પણ સંયમધર પતિ કે પુત્ર સારામાં સારી રીતના આરાધક બનીને મુક્તિપદને પામી શક્યા છે. પામી શકે છે અને પામી શકશે, એમાં શંકાને અવકાશ જ છે નથી,
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy