SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ એવી રીતે વિહરવું જોઈએ કે જ્યાં-જ્યાં પોતાનો વિહાર થાય ત્યાં છે ત્યાં યોગ્ય આત્માઓ પવિત્ર થઈ સહેજે-સ્ટેજે મોક્ષમાર્ગના રસિયા તેલ બને. એ રીતે વિહરવામાં જ સાચું મુનિપણું છે, એ વસ્તુ ખૂબ લક્ષ્યમાં રાખવા જેવી છે. મુનિપણું પામ્યા પછી પણ આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં બાધ કરનારી વસ્તુઓ ઉપર હું મારાપણું બન્યું રહે અને એની ખાતર આત્મા કષાયોથી ધમધમતો રહે, તો ખરેખર જમુનિપણાની પ્રાપ્તિથી આત્માને જલાભ થવો જોઈએ તે નથી થતો. સર્વોત્તમ શ્રી જિનેશ્વરદેવોનું મુનિપણું પામીને પણ જો આત્માની એવી ને એવી દશા રહે તો માનવું જોઈએ કે આત્મા ઘણો જ ભારેકર્મી છે. અન્યથા જે મુતિપણાએ રાજા મહારાજાઓને પણ સાચા ભિક્ષુક બનાવ્યા છે, તે મુનિપણાને પામવા છતાં પણ આત્મા દીન કે પગલાનંદી કેમ જ બને ? અનંત ઉપકારી પરમવીતરાગ શ્રી ક્લેિશ્વરદેવોનું મુનિપણું પામ્યા પછી પણ યથેચ્છચારિતા, દીનતા અને પુદ્ગલાનંદિપણું બન્યું રહે એ આત્માની અધોગતિ સૂચવનારી વસ્તુ છે. યથેચ્છચારિતા, દીનતા કે પુદ્ગલાનંદિતા સાથે શ્રી ક્લેિશ્વરદેવના મુકિપણાનો મેળ કરવા ઇચ્છનાર આત્માઓ શ્રી જિનેશ્વરદેવના મનિપણાને દીપાવનારા નથી કિધુ કલંકિત કરનારા છે કે, એ વાત કદી વિસરી જવા જેવી નથી ! સુંદર સાધુપણાની પૂરેપૂરી કાળજી જોઈએ પ્રભુ-શાસનના મુનિપણાને પામવા છતાં પણ તુચ્છ છે પદાર્થોની આશા બની રહે એ કાંઈ નાનીસુની વિડમ્બના નથી, એ વાત દર્શાવતા એક પરમોપકારી પરમમહર્ષિ સ્પષ્ટ-સ્પષ્ટ | શબ્દોમાં ફરમાવે છે કે, ગૃહીતનJસ્થ વેલ્થકાશા, ગૃહતોિ વિષયમનાવી છે गृहीतलिङ्गो सलोलुपश्चेद, विडम्बनं नास्ति ततोऽधिकं हि ॥१॥" મુનિલિંગને ધરનાર આત્મામાં જો ધનની આશા ોય, મુનિલિગને ધરનારો જો વિષયોનો અભિલાષી હોય, અને મુકિલિંગને ધરનાર જો રસલોલુપ હોય, તો ખરેખર તેથી અધિક વિડળના બીજી કોઈ જ નથી, અર્થાત્ મુનિ અને ધનનો અર્થી, મુનિ અને વિષયાભિલાષી જાણે સમ્યક્ત્વ અને ચરિત્રનો વારસો જ હશે .૨
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy