SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભગ-૨ 03 ) વિચારો કે પરમવિરક્ત પુણ્યાત્માઓની દશા કેવી અને કેટલી પવિત્ર તથા નિર્મોહ હોય છે? વિરક્ત દશા અને દુનિયાદારીની દશાને પરસ્પર મેળ હોઈ જ નથી શકતો એ ખાસ ધ્યાનમાં રાખો. મોહમગ્ન આત્માઓની વિચારણા કરતા વિરક્ત આત્માઓની વિચારણા જુદી જ હોય છે અને હોવી જ જોઈએ એમ હૃદયપૂર્વક સ્વીકારો. જો વિરક્ત આત્માઓની અને મોહમગ્ન આત્માઓની વિચારણા એક સરખી જ સ્વીકારવામાં આવી હોત તો વિશ્વમાં શ્રી તીર્થપતિનું હું શાસન હોત જ નહિ અને વિશ્વમાં જે થોડાંપણ સુખ કે શાંતિ દૃષ્ટિગોચર થઈ રહી છે, એ પણ ન હોત, એ વાતને બરાબર સમજો. આવી વસ્તુઓ પ્રભુશાસનને પામેલા ન સમજે એ કેમ જ બને ? અને પ્રભુશાસનને પામવાની મનોભાવનાવાળાઓ, એ વસ્તુઓ સમજવાની કાળજી ન કરે એ પણ કેમ જ ચાલે ? જેઓ આ વસ્તુઓ સમજ્યા નથી કે ઉપકારીઓના કથનથી સદહતા નથી, તેઓ પ્રભુશાસનને પામ્યા જ નથી અને તે વસ્તુઓને સમજવા કે સદણવા જેઓ ઈચ્છતા નથી, તેઓ પ્રભુશાસનને પામવાને પણ લાયક નથી, એ વાત સહદય આત્માઓ ઘણી જ સહેલાઈથી સમજી શકે તેમ છે. | દુર્ગાનના પ્રતાપે સહદેવીની દુર્ગતિ રાજા મટીને રાજર્ષિ બનવાની ભાવનાની આડે આવનારી પત્ની કે માતાની એક લેશ પણ પરવા કર્યા વિના, બંનેય પરમ પુણ્યશાળી રાજાઓ, રાજા મટીને રાજર્ષિ બન્યા. એ રીતે રાજર્ષિ બન્યા પછી પણ એ પુણ્યાત્માઓ, દુનિયાની કોઈપણ પ્રવૃત્તિમાં લેપાયા વિના મોક્ષમાર્ગની આરાધનામાં જ રક્ત બન્યાને એ આરાધનાની પ્રવૃત્તિનું વર્ણન કરતાં ઘણાં જ ટૂંકા શબ્દોમાં લખ્યું છે કે निर्ममौ निष्कषायौ तौ, पितापुत्रौ महामुनी। જી વિનૌતુતાવેવ, પવિયંતી મહંતનમ ? નિર્મમ અને નિષ્કષાય એવા તે બંનેય પિતાપુત્ર મહામુનિઓ સાથે જ ઉં પૃથ્વીતલને પાવન કરતા વિહરવા લાગ્યા, આ વર્ણન ઉપરથી એ વાત સારી રીતે સમજી શકાય તેમ છે કે ઉં દેખાવમાં મુનિ થઈ જવા માત્રથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી, પણ મુનિપણાને દીપાવનારી નિર્મમતા અને નિષ્કષાયતા કેળવી
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy