SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનમાં આ તો સ્વાભાવિક જ છે શું આ બધાય કુટુંબ વિનાના, ઘરબાર વિનાના, વાલી કે પરિવાર વિનાના હશે? નહિ જ, પણ શ્રી જૈનશાસનમાં આ કાર્ય તો સ્વાભાવિક જ મનાતું અને માનવું જોઈએ, એટલે કે સાચો વૈરાગ્ય આવ્યા પછી બીજા કોઈ જ વિચારનું પ્રાધાન્ય નથી હોઈ શકતું અને હું હોવું જોઈએ પણ નહિ. વળી કોઈને એવો પણ પ્રશ્ન થાય કે શું આ બધાય પ્રથમથી વૈરાગ્યવાસિત જ હતા ? તો એનો ઉત્તર શ્રી જૈનશાસનમાં ઘણો જ સ્પષ્ટ સરળ અને સહેલો છે, કારણકે જનશાસન સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે, “સભ્યઢનપૂતાત્મા, સ્મતે ન કવોઢથી ?” “સમ્યગદર્શનથી પવિત્ર થયેલો આત્મા સંસારસાગરમાં રમે નહિ.” ઉત્તમ કુળ વિરોધને દૂર ફેંકવો એજ રક્ષક નીતિ. આથી એ વાત સ્પષ્ટ જ છે કે પ્રભુશાસનને પામેલા આત્મામાં સંસાર ઉપરનો વૈરાગ્ય તો બેઠેલો જ છે, એટલે જે સમયે એની સામે ભયંકર આડી દિવાલો ઉભી કરનારા ઘોર પાપાત્માઓ ન હોય તે સમયે તો એ વૈરાગ્યનો પ્રવાહ હેજે-હેજે જેમ વહેતો હોય તેમ વહા જ કરે છે, કારણ કે શ્રી જૈનશાસનમાં તો વૈરાગ્યના પૂર વહેતા ) જ હોય છે. આથી સ્પષ્ટ છે કે સ્વાભાવિક રીતે શ્રી જૈનશાસનમાં રહેલા વૈરાગ્યના પૂર રોકવા માટે દિવાલો ચણવાની ભાવનાવાળાઓ 8 સામાન્ય પાપાત્માઓ નહિ પણ ઘોર પાપાઓ છે, એટલે જે સમયે એવા પાપાત્માઓ જોરશોરથી ઘૂમી રહ્યા હોય તેવા સમયે તો પ્રભુશાસનના એકાંત પૂજારીઓએ વૈરાગ્યની નોબતો એવી રીતે ગડગડાવવી જાઈએ કે એના ગડગડાટથી જ પાપાત્માઓ તેવી દિવાલો ચણી શકે નહિ અને ચણી દીધી હોય તો એની એકે એક કાંકરી ખરી પડે, કારણકે તેમ કરવું એ પ્રભુશાસનના એકાંત પૂજારીઓનો પરમધર્મ છે અને તે અનિવાર્ય છે. અજુથમ મહિમા....૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy