SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે જાણીએ છીએ કે પરમ વિરક્ત શ્રી વજબાહુને શું છે પ્રવ્રજ્યા ગ્રહણના તેમના નિશ્ચયથી ચલિત કરવા માટે છેલ્લામાં હતી છેલ્લા ઉપાય તરીકે શ્રી ઉદયસુંદરે પોતાની બેનને જ, એટલે કે શ્રી 8 વજબાહુની ધર્મપત્નીને જ આગળ કરી છે અને સ્પષ્ટ અક્ષરોમાં કહાં કે, “હે સ્વામીન્ ! આપથી તરણાની જેમ ત્યજાયેલી અને એ જ ઉં કારણે સાંસારિક સુખાસ્વાદથી વંચિત થયેલી આ મારી ભગિની અને ૨ આપની પત્ની મનોરમા કેવી રીતે જીવી શકશે?" આ પ્રમાણે તેમની પત્નીને સામે ધરીને કહેવા છતાં પણ અજ્ઞાન દયાળુઓ માટે કરૂણ અને વિષયાસક્ત આત્માઓ માટે હૃદયવેધક એવા આ શબ્દોની શ્રી વજબાહુ ઉપર કશી જ અસર થતી નથી એટલું જ નહિ પણ શ્રી વજબાહુ પોતાની તે ધર્મપત્ની સામે જોયા વિના જ એક પરમવૈરાગી આત્માને છાજતી રીતે જ, તદ્દન નિર્મમપણે અલ્પ શબ્દોમાં પણ સુંદરમાં સુંદર જવાબ આપે છે. એ જવાબ ઉપરથી જ સમજાઈ જશે કે પત્ની હોય તો તેના માટે પણ વિરક્ત આત્માની વિચારણા શી હોય છે ? કારણકે તે પોતાની બેનને આગળ કરીને બોલતા શ્રી ઉદયસુંદરને શ્રી વજબાહુએ જવાબ આપતા કહ્યું છે કે, “હે મહાનુભાવ ! જો તારી બહેન કુલીન હશે તો તે દીક્ષા અંગીકાર કરશે અને જો તે તેવી નહ. હોય તો તેનો માર્ગ કલ્યાણકારી હો, પણ હવે મારે તો ભોગોથી સર્યું જ.” મહાનુભવો ! વિચારો કે આ ઉત્તરમાં કેવી ઉત્તમ મનોદશા છે? વિચારશો તો સમજાશે કે સાચા વિરક્ત આત્માઓની મનોદશા જ કોઈ અજબ પ્રકારની હોય છે અને એના યોગે તે આત્માઓ ગમે તેવા પ્રસંગોમાં પણ રાગીઓના રાગથી રંગાઈ પોતાના પરિણામમાંથી ચલાયમાન થતા નથી. એ જ કારણે શુદ્ધ પ્રતિજ્ઞાના પાલનની સામે કોઈપણ વસ્તુ ઉભી રહી શકે યા નહિ? આ પ્રશ્નનું સ્પષ્ટીકરણ પણ થઈ જાય છે અને એ વાત નિશ્ચિત થઈ જાય છે કે શુદ્ધ પ્રતિજ્ઞાના પાલન સામે કોઈપણ વસ્તુ ઉભી રહી શકતી નથી. ઉત્તમ કુળનો જ અજુથમ મહિમા....૧
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy