SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ થાય તો સંસારનું શું થાય ? પણ એ દયાળુઓને હું કહું છું કે, આ ગભરાઓ મા ! નાહક બળી મરવાનું કામ નથી. કોડો ત્યાગના ( Roછે ઉપદેશકો થાય તો પણ એ બનવાનું નથી. એની ખાત્રી આપું છું. # શ્રી તીર્થકર જેવાના ઉપદેશ છતાંએ નથી બન્યું. અમે તો એ તારકની રજ પણ નહીં, એ તારકની આજ્ઞા પળાય તો યે અમારા ઉં માટે ઘણું. નહિ તો અમે પણ ક્યાંએ આથડી મરવાના. શ્રીતીર્થંકરદેવ, દરરોજ બબ્બે પ્રહર દેશના દેતા હતા અને શ્રીગણધરદેવની સાથે ગણીએ તો દરરોજ ત્રણ-ત્રણ પ્રહર ત્યાગની ધોધમાર દેશના ચાલતી હતી તોયે બધાયે ન નીકળ્યા. માટે ગભરાવાની જરૂર નથી. આથી ગભરાયા વિના કુળોને સુંદર રીતે પ્રભુએ પ્રરૂપેલા ત્યાગધર્મથી સુવાસિત બનાવો. એના જ પ્રતાપે તમે સાચી શાંતિ પામી શકશો. શ્રી દશરથ મહારાજા કોઈ પણ જાતના સંકોચ વિના શ્રીમતી કૈકેયીની માંગણી મુજબ શ્રી ભરતને રાજ્ય આપી શક્યા. શ્રી ભરત ગાદી લઈ શકે અને પિતાજીનું ઋણ ટળે એ માટે પિતા અને માતાની આજ્ઞા મેળવી શ્રી રામચંદ્રજી વનવાસ માટે ચાલી નીકળ્યા. શ્રીમતી સીતાજી પણ કોઈ જાતનો અયોગ્ય વિચાર કર્યા વિના પાછળ વનવાસ માટે ચાલી નીકળ્યાં. અને શ્રી લક્ષ્મણજીને આવેલો ક્રોધ એકદમ શમી ગયો. તથા એ વડીલબંધુની પાછળ વનવાસમાં જવાનો નિશ્ચય કરી શક્યા. આ દરેકેદરેક બનાવમાં છૂપો-છૂપો પણ ત્યાગધર્મનો પ્રભાવ છે જ. જો એની સહજ પણ છાયા ન હોત તો આવું પરિણામ હૈ, આવવું એ શક્ય નહોતું. સંસારના પિપાસુઓ આવું પરિણામ કદી જ ન લાવી શકે. આથી સમજો કે ત્યાગધર્મના પ્રતાપે જેમ મુક્તિ સહજ છે. તેમ સંસારમાં પણ તેના પ્રતાપે શાંતિ સહજ છે. જે આત્માઓ એ ધર્મથી પરાક્ષુખ છે તેઓ કદી જ શાંતિનો અનુભવ કરી શકવાના નથી અને જેઓને એ પરમધર્મ સામે વૈરભાવ જાગ્યો છે તેઓ તો ખોટી ગભરામણમાં પડી નિષ્કારણ અશાંતિના દાવાનળમાં સળગ્યા જ કરવાના છે. માટે આ પરમ પવિત્ર અને એકાંતે સ્વ-પરનું કલ્યાણ કરનારા ત્યાગધર્મના પ્રભાવને સમજો ૨મચન્દ્રજી S વાવ(..૧૨
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy