SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સંત.... ભાગ-૨ .........રામ-લક્ષ્મણ પામીને શુ મેળવવા યોગ્ય છે ? એ આ મહાપુરુષના કથનથી ઘણું જ સ્પષ્ટ થઈ જાય છે. અર્થ-કામના ઉપાસકો જો તેઓ સજ્જનતાભર્યું માનવહૃદય ધરાવતા હોય તો તેમને આ કથન ઘણું જ ચાનક લગાડનારું છે. પણ એટલું જ કહીને આ મહાપુરુષ અટકતા નથી. આગળ વધીને એ મહાપુરુષ તો કહે છે કે નર્દેશિરવિ, તેમાાસુ, ઘવ પરમાર્થસાત્ । શ્રુત્તિષુ સ્વાતિનીભૂત - વાર મૌત્તિસાહિવ !! त्वत्स्वसा च कुलीना चेत्, तत् प्रव्रज्यां ग्रहीष्यति । નો ચેહસ્યા શિવઃવંયા, મોની પુનરનું મમ तद्व्रतायानुमन्यस्व, मां त्वमप्यनुयाहि नः । कुलधर्मः क्षत्रियाणां, स्व-संधापालनं खलु ॥ “સ્વાતિ નામના નક્ષત્રમાં મેઘનું પાણી છીપોમાં જેમ મોતીરૂપ થાય છે, તેમ તારી નર્મોક્તિ એટલે મશ્કરીની વાણી પણ મારે માટે સર્વ પરમાર્થરૂપ એટલે સર્વ પ્રકારે આત્મકલ્યાણના કારણરૂપ થઈ છે. વળી જો તારી બહેન કુલીન હશે, તો તે મારી પાછળ દીક્ષા અંગીકાર કરશે અને જો તે કુલીન ન હોય તો તેનો માર્ગ કલ્યાણકારી થાઓ, પણ મારે તો હવે ભોગોએ કરીને સર્યુ. એટલે કે મારે તો હવે ભોગો કોઈ પણ રીતે ભોગવવા જ નથી. માટે જ તું હવે મને વ્રત લેવાની અનુમતિ આપ ને તું પણ અમારી પાછળ વ્રતોનો સ્વીકાર કર, કારણકે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવું એ જ ક્ષત્રિયોનો કુલધર્મ છે." ભાગ્યશાળીઓ ! વિચારો ! આ એક સુંદર સદુપદેશની ગરજ સારનારા વચનો છે. વિરક્ત આત્માની મનોવૃત્તિ કેવી હોવી જોઈએ ? એ આ વચનો સારામાં સારી રીતે આપણને સમજાવે છે. આ વચનો દ્વારા એ સાર નીકળે છે કે. (૧) મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું ફળ શું ? (૨) સજ્જ આત્માઓની મશ્કરી પણ કેવી હોય. તથા તે સફળ હોય કે નિષ્ફળ ? અને – (૩) પત્ની હોય તો તેના માટે પણ વિરક્ત આત્માની વિચારણા શી ?
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy