SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ સત.... ભાગ-૨ अथ राजीः सुतान्मन्त्रिमुख्यानाहूय पार्थिवः । आप्रपच्छे यथौचित्यं वृत्तालापसुधारसः ॥१॥ પોતાના પ્રાસાદે આવ્યા પછી શ્રી દશરથમહારાજાએ પોતાની રાણીઓને, પુત્રોને અને મુખ્યમંત્રીઓને બોલાવીને તે સઘળાંયની સાથે સુધારસ સમો આલાપ કરીને એટલે કે સૌને આનંદ થાય એવા પ્રકારની વાતચીત કરીને પોતાની ઘક્ષાની બાબતમાં ઔચિત્ય મુજબ પૂછ્યું, " કારણકે મહારાજાને કોઈની આજ્ઞા તો માંગવાની હતી જ નહિ, એટલે મહારાજાએ સૌની સમક્ષ પોતાની દીક્ષા લેવાની | ૨૪ ભાવનાને પ્રકાશિત કરી. આ જ વસ્તુનું વર્ણન કરતાં પઉમચરિયમુન્ના કર્તા જણાવે છે 8 કે સંસારના પરિભ્રમણથી ભય પામેલા શ્રી દશરથમહારાજા જ્યારે દીક્ષા લેવાની ભાવનાવાળા બન્યા ત્યારે તેમણે એકદમ પોતાના સામંતોને અને મંત્રીજનોને બોલાવ્યા, તેઓ પણ એકદમ આવ્યા અને મસ્તક દ્વારા પ્રણામ કરીને સુંદર આસનો ઉપર બેઠા. એ વખતે શ્રી દશરથમહારાજાને તેઓના સુભટોએ વિનંતીપૂર્વક કહ્યું કે “સામા ઢેઢાdiff” 'હે સ્વામિન્ ! આપ આજ્ઞા આપો કે શું કરણીય છે?' આ વિનંતીના ઉત્તરમાં મહારાજાએ પોતાની દીક્ષા લેવાની ભાવનાને પ્રકાશિત કરતાં ફરમાવ્યું છે કે, ૨મ-લક્ષમણને હે સુભટો ! મારે આજે તમને કશું જ કરણીય કહેવાનું નથી, કારણકે અમે તો આજે દીક્ષા ગ્રહણ કરીએ છીએ.' અજ્ઞાની જીવોને ત્યાગ વૈરાગ્યની કિંમત નહિ મહારાજાના શ્રીમુખેથી-અમે આજે દીક્ષા ગ્રહણ કરીએ છીએ-આવા પ્રકારના વાક્યને સાંભળીને ચોંકી ઉઠેલા મંત્રીરોએ મહારાજા પ્રત્યે અતિશય વિનીતભાવે પ્રશ્ન કર્યો કે DEOD.)
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy