SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સીત..... ભાગ-૨ .........રામ-લક્ષ્મણને कुतोऽपमानादारब्धं, दुःसाहसमिदं त्वया । વિં નામ હૈવાહિઘે, મયા વ્યવસાનના રો ‘હે દેવી ! કયા અપમાનથી તે આવું દુ:સાહસ આરંભ્યું છે ? શું દૈવયોગે મેં કાંઈપણ તારી અવમાનના કરી છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ગદ્ગદ્ વાણીવાળી બની ગયેલી તે પટ્ટરાણી કૌશલ્યાએ પણ મહારાજાને કહ્યું કે, ‘વતા નિનસ્નાનવયઃ સર્વાસાં રાનીનાં पृथक् प्रैषि 'પુનઃ મન ન વૈધ્ધિ'' ‘હે નાથ ! આપે શ્રી જિનેશ્વરદેવના સ્નાત્રનું જળ સઘળીયે રાણીઓને ભિન્ન-ભિન્ન મોકલી આપ્યું પણ મારા માટે જ આપે એ સ્નાત્રજળ ન મોકલી આપ્યું.' આ પ્રમાણે જે સમયે બોલી તે જ સમયે ‘રાજાએ આ સ્નાત્રનું જળ મોકલાવ્યું છે.' આ પ્રમાણે બોલતાં કંચુકી ત્યાં આગળ આવ્યો. રાજાએ પણ પ્રથમ તો કાંઈ બોલ્યા વિના તે પવિત્ર સ્નાત્ર જલ દ્વારા સ્વયં પટ્ટરાણીના મસ્તક ઉપર અભિષેક કર્યો અને તે પછી રાજાએ તે કંચુકીને પૂછ્યું કે, “વિનંઘેન વિનાનાÄ'’ “તું આટલા બધા વિલંબથી કેમ આવ્યો ?" આ પ્રમાણેના રાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં કંચુકીએ પણ ઘણા જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “હે સ્વામિત્ સર્વાર્વાક્ષમ, મે વાર્દ્ર અવરાઘ્ધતિ, स्वयमपि अमूं मां पश्य" “હે સ્વામિન્ ! સર્વ કાર્યો માટે અસમર્થ એવું મારું વૃદ્ધપણું અપરાધી છે આપ પોતે પણ આ મને જુઓ. આવી અવસ્થામાં રહેલાં મને આપ જોશો એટલે આપ જ કહેશો કે આ અપરાધ તારો નથી પણ તારા સર્વ કાર્યોમાં અસમર્થ એવા વૃદ્ધપણાનો જ અપરાધ છે. એમાં કશી જ શંકા નથી.”
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy