SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યાં છે. સત્યનું ખૂન થવા દઈને પણ માનને સાચવવામાં પડેલાઓ પ્રભુશાસનને વફાદાર શી રીતે રહી શકે છે ? એ આજે વિચારણીય વસ્તુ છે. ‘સઘળાંય અમને માને' આ ભૂત નાનું સુવું નથી. એ ભૂતને શરણે થયેલાઓ સત્યનું પ્રકાશન શી રીતે કરી શકે ? એવાઓ પાસે સત્યને જાણવા જનાર નિરાશ થઈને જ પાછા ફરે એમાં આશ્ચર્ય પણ શું છે ? એવાઓને તો પ્રભુશાસન કરતાં પણ પોતાની જ ખૂબ પડી હોય છે. પ્રભુશાસનને માનો કે ન માનો એની પરવા એવાઓને નથી હોતી. એવાઓને તો માત્ર પોતાને જ મનાવવાની પડી હોય છે. પોતાને માને એ જ પરમેશ્વરને માનનારા હોય છે. એવી જ માન્યતામાં એવાઓ અથડાયા કરે છે. પોતાની માન્યતા આગળ એવાઓ તો પ્રભુશાસનની માન્યતાને પણ બાજુએ રાખે તેમ છે. એવાઓ તો પોતાની વાહ-વાહમાં જ પ્રભુશાસનની વાહ-વાહ સમજે છે. એવા આત્માઓ ગમે તેટલા મહાન ગણાતા હોય તો પણ વિવેકી આત્માઓની ષ્ટિએ તો એવાઓ કેવળ દયાપાત્ર જ છે. માન કષાયને યોગે ત્યાગીઓ પણ પટકાઈ જાય તો આ સંસારી આત્મા પટકાઈ જાય એમાં આશ્ચર્ય શું છે ? એક નજીવા કારણસર અને તે પણ માત્ર મનથી જ માની લીધેલા કારણસર દશરથ મહારાજાની પટ્ટરાણી કારમી રીતે મરવાનો પ્રયત્ન કરી રહેલ છે, એ કેવી કારમી અને દુ:ખજનક ล ઘટના ગણાય ! કંચુકીનું આગમન : દશરથ રાજાનો પ્રશ્ન પણ એટલામાં તો તે જ સમયે શ્રી દશરથ નરેન્દ્ર ત્યાં આવી પહોંચ્યા. અને પોતાની પટ્ટરાણીને તેવી અવસ્થામાં રહેલી જોઈ. એવી અવસ્થામાં જોવાથી શ્રી દશરથ રાજાને લાગ્યું કે આ હમણાં જ મરી જશે ! એટલે તેના મૃત્યુથી ભય પામેલા શ્રી દશરથ મહારાજાએ તે પોતાની પટ્ટરાણીને પોતાની પાસે બેસાડીને કહ્યું કે, સુખ દુઃખની ઘટમાળ છુ અને વિરક્ત શ્રી દશરથ....૧૦
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy