SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ છે છે , “નૈવારિત રાનપાનસ્ય, તસુરવં ટ્રેવરાસ્ય ? यत सुखमिदैव साधो - र्लोकव्यापाररहितस्य ॥१॥" આ સંસારમાં જ જે સુખ લોકવ્યાપારથી રહિત સાધુને છે, તે સુખ રાજાઓનાં રાજા એટલે ચક્રવર્તીને અને દેવોના રાજા ઇન્દ્રને પણ નથી. ખરેખરી વાત એ છે કે લોકવ્યાપારને તજ્યા વિના આત્મા ચિંતામુક્ત બની શકતો જ નથી. લોકવ્યાપાર એ વસ્તુ જ એવી છે કે જે ગમે તેવા આત્માને પણ ચિંતામાં પટક્યા વિના રહે નહિ. લોકવ્યાપાર એટલે કૃષિ આદિની પ્રવૃત્તિ અને કામભોગનાં સાધનોને ઉત્પન્ન કરવાની ઇચ્છા. આ વસ્તુને કરવામાંય ચિંતા, કરાવવામાંય ચિંતા અને કરનારાઓની અનુમોદના કરવામાં પણ ચિંતા, એ હેતુથી સાધુને એ વસ્તુનો ત્રિવિધે-ત્રિવિધ ત્યાગ હોય છે. એ વસ્તુનો ત્રિવિધે- ત્રિવિધ ત્યાગ કરવામાં ન આવે ત્યાં સુધી સાધુતા આવી પણ શકતી નથી. એ વસ્તુનો ત્રિવિધ ત્રિવિધે ત્યાગ એટલે મનથી, વચનથી અને કાયાથી એ વસ્તુને કરવાનો પણ ત્યાગ, કરાવવાનો પણ ત્યાગ એ કરતા હોય તેઓને અનુમોદવાનો પણ ત્યાગ. સાધુતાના સ્વીકારનું પચ્ચખાણ પણ એ જ છે. એ જ કારણે પ્રશમસુખના સ્પષ્ટીકરણમાં કેવો સાધુ સુખપૂર્વક રહી શકે ? આ વસ્તુનું પ્રતિપાદન કરતાં એ જ વાચકડુંગવ પ્રરૂપે છે કે, सन्तज्य लोकचिन्तां - आत्मपरिज्ञानचिन्तनेऽभिरतः। जितरोषलोभमदनः, सुखमास्ते निर्बरः साधुः ॥१॥ પ્રશમરતિ : ગાથા ૧૨૯ જેમ જ્વરથી પીડાતો પ્રાણી રતિને નહિ પામી શકવાથી દુ:ખપૂર્વક જ રહે છે, તેમ સ્વજન અને પરજનરૂપ જે લોક તેના સંબંધી દારિદ્રય અને દૌર્ભાગ્ય આદિની ચિંતા, એના યોગે ઉત્પન્ન થતા રોષ, લોભ અને મદન આદિના પંજામાં સપડાઈ ગયેલો સાધુ, સાધુ ગણાવા છતાં પણ સુખપૂર્વક નથી રહી શકતો, પણ તે જ સાધુ સુખપૂર્વક રહી શકે છે કે જે સાધુએ, સ્વજન-પરજનરૂપ જે લોક, તેના ઘરિદ્ર અને દૌર્ભાગ્ય આદિ સંબંધી ચિંતા, તેનો સંપૂર્ણપણે ત્યાગ કરીને, અનાદિ સંસારમાં શરીર સંબંધી અને મનસંબંધી ફૂલીન ઘરેવારોની ખાનદાની ઝળકી ઉઠે છે....૯
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy