SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં અને જેમ-તેમ નહિ મૂકી આવતાં વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં આવેલાં રથનૂપુર નગરના નંદન નામના ઉદ્યાનમાં ધીમે રહીને એટલે તેને જરા પણ તકલીફ ન પડે તે રીતે મૂકી આવ્યો. દેવ મૂકીને ગયા પછી જાણે કોઈ જ્યોતિ જ ન પડતી હોય તેવા ભ્રમને કરાવનાર તે બાળકને જોઈને "આ શું ?" એ પ્રમાણે સંભ્રાન્ત બની ગયેલા ચંદ્રગતિ નામના વિદ્યાધર રાજા તેના પ્રકાશને અનુસારે નંદન નામના ઉપવનમાં ગયા. ઉપવનમાં ગયેલા તે વિદ્યાધરોના ઇન્દ્ર, દિવ્ય અલંકારોથી વિભૂષિત થયેલા તે બાળકને ત્યાં જોયો. આવા સુંદર બાળકને જોઈને આનંદમાં આવી ગયેલા તે વિદ્યાધરોના ઈંન્દ્ર તે બાળકને પોતાના પુત્ર તરીકે કરીને પોતે જાતે જ ઉપાડી લીધો. કારણકે તે પુત્ર વિનાના હતા એવા સુંદર બાળકને પોતાની જાતે લાવીને તે વિદ્યાધરોના ઇન્દ્ર, પોતાની પુષ્પવતી નામની પ્રિયતમાને સમર્પણ કર્યો. એટલું જ નહિ પણ રાજાએ પોતાના નગરમાં ‘“àવ્યય સુષુને પુત્ર” આજે શ્રીમતી પુષ્પવતી નામની દેવીએ પુત્રને જન્મ આપ્યો છે. આ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવી. એવા પ્રકારની ઉદ્ઘોષણા કરાવ્યા બાદ તે બાળકનો તે રાજાએ અને નગરના લોકોએ સુંદર જન્મોત્સવ ઉજવ્યો. ‘ભા’ એટલે કાંતિ તેના મંડલના સંબંધથી તે બાળક નામથી ભામંડલ કહેવાયો. અર્થાત્ તે બાળકનું નામ ભામંડલ પાડી તે રાજા રાણીએ સપુત્રીયા તરીકેનો આનંદ લૂંટવા માંડ્યો અને પુષ્પવતી તથા ચંદ્રગતિનાં નેત્રોરૂપ જે કમળો તેને વિકસિત કરવા માટે ચંદ્રમા સમાન એ જ કારણે વિદ્યાધરીઓના હસ્તથી લાલનપાલન કરાતો તે બાળક વધવા લાગ્યો. જ્યારે એ બાજુએ આ રીતે ચંદ્રગતિ નામના વિદ્યાધરોમાં ઇન્દ્રસમા મહારાજાના અંત:પુર આદિમાં આનંદ મચી રહ્યો છે ત્યારે બીજી બાજુએ જનકમહારાજાના અંત:પુર આદિમાં શું બની રહ્યુ છે એનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે આનંદ અને ૧૯૭ શોકના અવસરો તે સંસાર...૮
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy