SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વસ્થ બનેલા તેને શ્રી આચાર્ય ભગવાનના ઉપદેશથી સંસારની જી અસારતા સમજાણી, સંસારની અસારતા સમજાઈ જવાના પ્રતાપે તો પિંગલે એ શ્રી આચાર્ય ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી. ' દીક્ષાનો સ્વીકાર કરવા છતાં અને એ ઉત્તમ દીક્ષાનું પાલન કરવા છતાંપણ અતિસુંદરી ઉપરનો પ્રેમ એના હૃદયમાંથી ખસ્યો ન હતો. હું એ વસ્તુને જણાવતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી - હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સ્પષ્ટપણે જણાવે છે કે, __ परं प्रेमातिसुंढाँ, न मुमोच कदाचन । દીક્ષાનો સ્વીકાર કર્યો તેની હા, અને દક્ષાનું પાલન કરતો હતો તેની પણ હા, “પરંતુ તેણે અતિસુંદરી ઉપરના પ્રેમનો પણ ત્યાગ નહોતો કર્યો. અર્થાત્ એ છેક છેવટ સુધી અતિસુંદરીના પ્રેમને હદયમાં રાખી રહ્યો હતો.” આવી વસ્તુને પણ ઉપકારીઓ છૂપાવતા નથી. પણ સ્પષ્ટ કહી દે છે, એટલું જ નહિ પણ એથી પિંગલે સ્વીકારેલી દીક્ષાને વખોડતા પણ નથી, કારણકે એ ઉપકારી મહાપુરુષો કર્મની વિચિત્રતાને સારી રીતે સમજતા. સાતિચાર સંયમના પાલનથી પણ નિરતિચાર સંયમના પાલનનું સામર્થ્ય આવે છે. એમ સમજનારા આત્માઓ સારી વસ્તુના સ્વીકારની અને પાલનની મહત્તા કેમ જ ઉડાવે ? જેમ ખરાબ સંસ્કાર આત્માને ખરાબ કરવાનું કામ કરે છે તેમ સારા સંસ્કાર આત્માને સુધારવાનું કાર્ય પણ કરે જ છે. એ વસ્તુને પણ ઉપકારી આત્માઓ વિસરી નથી જતા. અજ્ઞાનીઓના પ્રલાપ સાથે જ્ઞાનીઓના કથનનો જરા પણ મેળ મળી શકે તેમ નથી. એ વાત આ વાત ઉપરથી પણ સમજવા ધારે તેનાથી સમજી છુ શકાય તેમ છે અને ન સમજવા ધારે તેને તો આ વિશ્વમાં કોઈ જ છે સમજાવી શકે તેમ નથી. અંતે કુંડલમંડિત પણ ધર્મને પામ્યો. શ્રી આર્યગુપ્ત નામના આચાર્ય ભગવાનના પ્રતાપે પિંગલ ઉન્મત્ત મટીને સ્વસ્થ બન્યો અને સંયમ પામ્યો ત્યારે કુંડલમંડિત નામનો રાજપુત્ર અતિસુંદરીના યોગે રાજ્યપાટ તજીને લૂંટારો બન્યો. આનંદ અને અવસરે તે સંસ૨.૮
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy