SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ રિામ-લક્ષ્મણને આયુષ્યવાળો દેવ થયો. એ કીલર દેવપણામાંથી ઍવીને વિદગ્ધ નામના નગરમાં પ્રકાશસિંહ નામના રાજાને પ્રવરાવલી નામની પત્નીથી કંડલમંડિત નામના પુત્ર તરીકે તે ઉત્પન્ન થયો. અર્થાત્ અતિભૂતિ મોહાસક્તિના પ્રતાપે સંસારમાં રૂલ્યો. અને હંસબાળ તરીકે ઉત્પન્ન થયો તથા ત્યાંથી નમસ્કાર મંત્રના મહાપ્રતાપે કિતરસુર તરીકે થયો. અને ત્યાંથી ચ્યવીને કુંડલમંડિત નામના રાજપુત્ર તરીકે ઉત્પન્ન થયો. ભોગોમાં અતિશય આસક્ત એવો કયાન પણ પોતાની 'ભોગાસક્તિના પ્રતાપે ભવાટવીમાં ખૂબ જ ભટક્યો. ભવાટવીમાં ઘણું ભ્રમણ કર્યા પછી તે ચક્રપુર નામના નગરમાં ચક્રધ્વજ નામના રાજાના ધૂમકેશ નામના પુરોહિતની સ્વાહા નામની પત્નીના પુત્ર તરીકે ઉત્પન્ન થયો. અને ત્યાં તેનું નામ પિંગલ પાડવામાં આવ્યું. મોહતું કેવું મહાકારમું નાટક આ આખોએ બનાવ સંસારની કારમી દશાનું ખરેખરું ભાન કરાવે છે. કારણકે કયા નામનો વિષયાસક્ત બ્રાહ્મણ અતિભૂતિની સરસા નામની પત્નીનું છળપૂર્વક હરણ કરી જાય છે, અને સરસા નામની પત્નીના હરણથી વિહ્વલ બનેલો અતિભૂતિ પણ પોતાના માતા-પિતાનો ત્યાગ કરીને તેની શોધમાં ચાલી નીકળે છે. તથા મોહમગ્ન બનેલાં માતા-પિતા વળી એ બંનેયની શોધમાં નીકળી પડે છે. | વિચારો કે આ બધાય બનાવોમાં એક મોહના જ નાટક સિવાય અન્ય શું છે? અન્ય પુરુષ અન્યની સ્ત્રી ઉપાડી જાય, પતિ એ પત્ની ખાતર માતા-પિતાને વિસરી જાય અને ઉંમરલાયક પુત્ર અને જી પુત્રવધૂની શોધમાં માતા-પિતા રખડે, આ બધુંય મોહરાજાનું એક કારમું નાટક નહિ તો બીજું છે પણ શું? આ ઉપરથી એ પણ વિચારો કે મોહરાજા પોતાને આધીન પાસે શું-શું કરાવે છે ? આવું કારમું મોહનું નાટક પ્રાય: સદા અને :) INDUID )
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy