SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સતત. ભાગ-૨ રિમ-લક્ષમણને પુંડરીકકમળની પણ વિડંબના કરનાર નરપુંડરીક પુત્રને જન્મ આપ્યો. એ શ્રીમતી અપરાજિતા માતાથી જન્મ પામેલો પુત્ર લોકોમાં પુંડરિક સમો હતો અને લક્ષણોથી સંપૂર્ણ હતો. કમળોમાં જેમ પુંડરીક શ્રેષ્ઠ ગણાય છે તેમ આ પુત્ર પણ લોકોમાં પુંડરિકની જેમ શ્રેષ્ઠ ગણાતો. આનંદ અને ઉત્સવની ઉજવણી મનુષ્યોમાં પુંડરીક સમા વર્ણથી પુંડરીક કમલની વિડંબના કરનાર અને લક્ષણોથી સંપૂર્ણ એવા તે પ્રથમ પુત્રરત્નના મુખકમળને જોવાથી શ્રી દશરથ મહારાજા પૂર્ણિમાના ચંદ્રના દર્શનથી સાગર જેમ આનંદ પામે તેમ અતિશય આનંદ પામ્યા. અતિશય આનંદ પામેલા શ્રી દશરથ મહારાજાએ તે સમયે અર્થીઓને ચિંતામણીની જેમ માગ્યું દાન આપ્યું. કારણકે, “નોdhથતિ નાતે નંહને ઢીનમહાયમ્ ” “આ લોકની સ્થિતિ છે કે પુત્રની ઉત્પત્તિ થયે છતે ક્ષય ન પામે એવું ઘન દેવું જોઈએ.” જેમ દશરથ મહારાજાએ અઢળક દાન દઈને પુત્રનો જન્મોત્સવ ઉજવ્યો તેમ તે સમયે લોકોએ પણ પોતાની મેળે જ મોટો ઉત્સવ ઉજવ્યો. કારણકે બળદેવના જન્મથી શ્રી દશરથ મહારાજા કરતાં પણ લોકો અતિશય આનંદિત થયા હતા. અતિશય આનંદનો એ સ્વભાવ છે કે એના પ્રતાપે લોકો વિના પ્રેરણાએ જ મોટા ઉત્સવને ઉજવે. ઉત્સવ ઉજવવામાં ઉદ્યમશીલ થયેલા નગરના લોકો દુર્વા, પુષ્પો, અને ફળ આદિથી અલંકૃત કરેલાં કલ્યાણપાત્રો, છે પૂર્ણપાત્રો રાજાના ઘરે લઈ ગયા અને તે વખતે આખાએ નગરમાં 4 લોકોએ સર્વત્ર સુંદર ગીતો ગાવા માંડ્યા. સર્વત્ર કુંકુમના છાંટણા કર્યા અને સર્વત્ર તોરણોથી શ્રેણીઓ બાંધી દીધી. તે પુણ્યશાળી પુત્રના પ્રભાવથી તે સમયે શ્રી દશરથ મહારાજા પાસે અચિતિતપણે રાજાઓનાં ભેટણાં આવ્યાં. ( IિBILE DOID
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy