SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ હદયને એવું બનાવવા માટે આવા દૃષ્ટાંતોનો સારામાં સારો અભ્યાસ કરવો જોઈએ. નારદજીનું સત્કારપૂર્વક વિસર્જન तच्छुत्वा भूभुजाभ्यर्च्य, विसृष्टो नारदो द्रुतम् । तथैव कथयामास, जनकायापि भूभुजे ॥ ત્યારબાદ શ્રી નારદજીએ કહેલા તે સમાચાર સાંભળીને શ્રી દશરથ મહારાજાએ શ્રી નારદજીની સારામાં સારી પૂજા કરી અને પૂજાપૂર્વક શ્રી નારદજીને વિસર્જન કર્યા. શ્રી દશરથ મહારાજા દ્વારા વિસર્જન કરાયેલા શ્રી નારદજી એકદમ ત્યાંથી રવાના થયા અને શ્રી જનકરાજાની નગરીમાં ગયા. તેમની નગરીમાં જઈને શ્રી નારદજીએ જેવા સમાચાર શ્રી દશરથરાજાને કહા હતા તેવા જ સમાચાર શ્રી જનક નામના રાજાને પણ કહા.” | વિચારો કે હદય કેવું સાધર્મિક પ્રત્યેની ભક્તિથી ભરેલું ! અન્યથા આ સમાચાર શ્રી જનકરાજાને પણ પહોંચાડજો એમ શ્રી દશરથરાજાને કહીને ચાલ્યા જવામાં શ્રી નારદજીને શું હરકત હતી? કશી જ નહિ, પણ ભક્તિથી ભરેલું હૃદય એ રીતે અન્ય પાસે કાર્ય કરાવીને સંતોષ પામતું જ નથી. ભક્તિથી ભરેલા હદયનો એ સ્વભાવ જ છે કે ભક્તિવાળો પોતાના પૂજ્યની ભક્તિનું દરેક કાર્ય તે પોતે જ કરે અને કરાવે. ભક્તિનું કાર્ય કરવામાં ભક્તિથી ભરેલા હદયવાળાને કદી જ કંટાળો નથી આવતો. પણ ઉલટો ઉત્સાહ વધે છે. જે સમયે આવા શાસન સેવકો જીવતા હોય તે સમયે શાસન વિશ્વમાં ઝળહળતું હોય એમાં આશ્ચર્ય પણ શું છે? પુણ્યનો પ્રતાપ કેવું અજબ કાર્ય કરે છે શ્રી રાવણ મહારાજાનો પ્રશ્ન નૈમિત્તિકનો ઉત્તર, બિભીષણની પ્રતિજ્ઞા અને એ કારમી પ્રતિજ્ઞાના અમલમાં શ્રી રાવણ મહારાજાની સંપૂર્ણ સંમતિ આ બધી વસ્તુઓ બને છે. એમાં શ્રી નારદજીની હાજરી એ શ્રી દશરથ મહારાજાનો પુણ્ય પ્રતાપ જ સૂચવે છે. ખરેખર પુણ્યનો પ્રતાપ એ કાર્ય કરનારો છે વિશ્વની આબાદી એ પુણ્યના પ્રતાપને જ આભારી છે. દુનિયાદારીની આબાદીને ઇચ્છનારાઓને પણ પાપની પ્રવૃત્તિથી અટકી જવું જોઈએ. પાપની પ્રવૃત્તિથી આબાદી ઇચ્છનારાઓ તો કાલકૂટતા પુણ્યોદય '૧પપ અભય-કવચ૮ પ્રભાવ..૭
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy