SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 8-0¢00 ``P?? ૧૫૨ ........રામ-લક્ષ્મણને 42 01101 ભાનભૂલી દશાના પરિણામે શ્રી બિભીષણ નિરપરાધી એવા બંનેય ઉત્તમરાજાઓના નાશ કરવાની ભાવના ભરસભામાં સ્પષ્ટપણે વ્યક્ત કરે છે અને એ વાતથી વિચારશીલ શ્રી રાવણ મહારાજા પણ પોતાના પ્રિય જીવનની રક્ષા માટે શ્રી જનક મહારાજા અને શ્રી દશરથ મહારાજા જેવા પુણ્યશાળી મહારાજાઓના પ્રિય જીવનનો નાશ કરવાની વાતમાં અનુમતિ આપે છે. પોતાના વડીલબંધુની અનુમતિ પામીને શ્રી બિભીષણ રાજ્યસભામાંથી ઉઠીને પોતાના આવાસે ગયા. નારદજીની હાજરી પણ વિધિવશાત્ આ બનાવ જે સમયે રાવણ મહારાજાની રાજસભામાં બન્યો, તે સમયે શ્રી નારદજીની હાજરી રાજસભામાં જ હતી. શ્રી નારદજી એટલે પ્રભુશાસનના પરમ શ્રધ્ધાળુ અને શુદ્ધ શીલસંપન્ન તથા આકાશગામિની વિદ્યાના બળે તીર્થયાત્રાદિ પવિત્ર હેતુઓથી સદાય ઇચ્છા મુજબ પર્યટન કરનારો એક ઉત્તમ આત્મા. એવા ઉત્તમ આત્મા પોતાના સાચા સાધર્મિક ભાઈઓ ઉપર નિષ્કારણ આપત્તિ આવી પડવાની છે. એમ જાણ્યા પછી કેમ જ સ્થિર બેસી શકે ? સાચો ધર્મી ધર્મી ઉપરની આપત્તિને ટાળવાના ઉચિત પ્રયત્નો કર્યા વિના રહે જ નહિ. સાચા ધર્મોથી ધર્મી ઉપરની આપત્તિઓ ટાળવાના પ્રયત્નો કર્યા વિના રહી શકાય જ નહિ. સાચા ધર્મી સાચા ધર્મી માટે પોતાનું જીવન આપવા માટે પણ આતુર જ હોય, ધર્મની કે ધર્મીની ગ્લાનિ તેનાથી જોઈ શકાય જ નહિ. એવે સમયે મૌન કે મધ્યસ્થ રહેવા કરતાં એને મરણ વધુ પસંદ પડે. ધર્મ કે ધર્મીની ગ્લાનિને પ્રસન્ન હૃદયે જોઈ રહેનારો આત્મા ધર્મી જ નથી ધર્મ અને ધર્મીની ગ્લાનિ થઈ રહી છે એમ જાણવા છતાં પણ જે પ્રસન્નચિત્તે રહી શકે છે અને નિઘૃણપણે હસ્યા કરે છે તે ખરે જ એક ભયંકર રીતે ધર્મ અને ધર્મીના નાશની જ કારવાઈ કરનાર છે. એમાં શંકાના એક લેશને પણ અવકાશ નથી. નારદજી દશરથ પાસે શ્રી નારદજી એવા કરપીણ કે નિઘૃણ ધર્મી ન હતા પણ સાચા
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy