SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળવા છતાં પણ સોદાસ ચકિત થાય છે. હદયથી પ્રસન્ન થાય છે ? અને સદ્ગુરુના એવા કથનને પણ અનુપમ હિતશિક્ષા તરીકે કરી છે. સ્વીકારી પોતાની જીવનભરની માંસરૂપ વ્યસનની આસક્તિ- 8 પદભ્રષ્ટ થવા છતાં પણ નહોતી તજી, તેનો એકદમ ત્યાગ કરી પરમશ્રાવક બને છે, એ શી રીતે બને ? આજના કેટલાક આત્માઓ, કે જેઓ પોતાની જાતને જ છે સર્વ કાંઈ સમજીને વાત-વાતમાં ધર્મો સમાજને અંધશ્રદ્ધાળુ તરીકે ઓળખાવવાની કારમી ધૃષ્ટતા કરે છે, બુદ્ધિને બેસે તે જ શાસ્ત્ર' આવી અજ્ઞાની શેખરોએ કલ્પેલી શાસ્ત્રવ્યાખ્યાને સ્વીકારી “તમેવ સä tતરસંd, i finહં પવેડ્રયં” તે જ એક સાચું અને શંકા વિનાનું છે કે જે શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપ્યું છે. આવી સુંદર અને સૌ કોઈ માટે એકી અવાજે સ્વીકારવા યોગ્ય સર્વોત્તમ માન્યતાને જેઓ “વૈવિવિવિયં પ્રમા " ના જમાના વહી ગયા” આ પ્રમાણે કહીને હસી કાઢે છે. “શ્રી જિનેશ્વરદેવોના સાધુઓથી અર્થકામનો ઉપદેશ ન જ આપી શકાય” એવા શાસ્ત્રસિદ્ધિ અને ન્યાયનીતિથી પણ સિદ્ધ સિદ્ધાંતની સામે પણ કારમો કોલાહલ મચાવી સૂત્રસિદ્ધાંતના નામે અર્થ-કામનો ઉઘાડો ઉપદેશ આપનારા એ જ કારણે ઉન્માર્ગગામી એવા કુસાધુઓને જેઓ ઉઘાડું ઉત્તેજન આપવાની પાપી કારવાઈ કરી રહ્યાા છે. સર્વત્યાગ એ જ શ્રી વીતરાગપરમાત્માનો પ્રરૂપેલો મુખ્ય માર્ગ છે. અને તે બાળ, યુવાન કે વૃદ્ધ સૌ કોઈ ગીતાર્થ ગુરુદેવોની નિશ્રામાં રહીને આરાધી શકે છે. ૧૨૧ આવા પ્રાણી માત્ર માટે એકાંતે હિતકારી સિદ્ધાંતની સામે પણ જેઓ ગંદુ વાતાવરણ લાવે છે, એટલું જ નહિ પણ તેઓ આર્યદેશમાંથી પણ નાશ થાય એવી જાતના કુટિલ પ્રયત્નો પ્રતિદિન ઉલ્લાસપૂર્વક આચર્યા જ કરે છે, શ્રી વીતરાગ પરમાત્માઓએ પ્રરૂપેલ એકે-એક ધર્માનુષ્ઠાનનો કુતર્કો દ્વારા ઉપહાસ કરી એના આરાધકોની ઠેકડી મારવામાં જ જેઓ પોતાનું જીવનશ્રેય સમજે છે અને ઐતિહાસિક દૃષ્ટિ તથા વૈજ્ઞાનિક દૃષ્ટિ આદિના નામે જેઓ શાસ્ત્રની અવિરુદ્ધ નિરવઘ અને સઘળાય ગીતાર્થોએ માન્ય રે ! રાત | તારા વધે...૫
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy