________________
મલકસુરીનું ચરિત્ર થઈ? આ સર્વ વૃત્તાંત અમને આશ્ચર્ય પમાડનાર છે.”
રાણીએ મંદ ઉત્તર આપ્યું. “ આપને પ્રથમ મારૂં જ વૃત્તાંત સાંભળવું છે તે આ નજીક દેખાય તે વડવૃક્ષની શીતળ છાયા નીચે ચાલે છે, ત્યાં જરા વિશ્રાંતિ લઈ શાંત ચિત્તે તે સર્વ હકીકત હું આપને જણાવું.”
રાણીના આ ઉત્તરથી સર્વ કેને હર્ષ થયે, રાજાદિ સર્વે તે વડની છાયા નીચે પિતપતાને ગ્ય સ્થાને તે વૃત્તાંત સાંભળવાને ઉત્સુક થઈ બેઠા.
- પ્રકરણ ૧૩ મું. મલયાચળને પહાડ ગાષભદેવ પ્રભુનું મંદિર.
સ્વામિનાથ ! આ વાતની તે આપને ખબર હતી કે મારું જમણું નેત્ર ફરકતું હતું. આ અશુભ નિમિત્તથી મને કોઈ પણ સ્થળે રતિ થતી નહતી. વનાદિકમાં ભમી ભમીને હું પાછી મહેલમાં આવી અને વેગવતીને ઝાડનાં પાદડાં લાવવા માટે વનમાં મેકલી. એ અવસરે નિદ્રાથી મારી આંખો ઘેરાવા લાગી, ત્યારે શયન કરવા માટે મેં પલંગનો આશ્રય લીધે. અને નિદ્રા આવી કે તરત જ કઈ દુરાત્માએ મને ઉપાડી લીધી. અહીંથી ઉઠાવી એક પહાડના શિખર પર મૂકી તે દુષ, નિષ્ફર ત્યાંથી કે અન્ય સ્થળે નાસી ગયો.
એ અવસરે ભયથી મારું શરીર કંપવા લાગ્યું. પહાડને પ્રદેશ ઘણે રમણીય જણાતે હતે. થાપિ મને