SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચરિત્રમાં લેભસાર, લેભન દી, તપસ્વી, કનકાવતી, લોખુ, બળસાર અને કંદપરાળ ઈત્યાદિ પાત્રોનાં અશુદ્ધિ ભરેલા ચરિત્રોથી અવલેકને કરવાથ; ગુણવર્મા વિજયચંદ્ર, વેગવતી, એ યશ, મહાબળ, મલયચંદરી શતબળ અને સહસ્ત્રબ ળાદિની વિશુદ્ધિના ગૌરવોનું માપ સ્પષ્ટ રીતે થઈ શકે તેમ છે. તેમજ વિશ્વાસઘાતથી થતા ગેરફાયદા, પિતૃભક્તિ પર પકાર ઉપકારનો બદલો, પ્રજાપ્રેમ, ધર્મશ્રદ્ધાન, નિર્દોષ પ્રેમ, સત્યપ્રતિજ્ઞા, કરૂણા, પ્રાર્થના અભંગઅવિયારિત કર્તવ્યના માઠાં પરિણામ, એક પતિપનિવ્રત, સત્યપ્રેમ, ધર્મદેશના, હું કોણ? આ વિચિત્ર શાની ? તેનું કારણ શું? નિવૃત્તિને માગે, પૂર્વભવ વગેરે વિષયો આ ચરિત્રમાં દર્શાવવામાં આવ્યાં છે. આ ચરિત્રમાંથી ચરિત્ર વાંચનારને પિતાના ચરિત્રને સુધારવા માટે અનુકરણ કરવામાં ઘણું કપમાને મળી શકે છે. ગુણાનુરાગી, સત્યશોધક છવો આ ગ્રંથના અધિકારી છે. તેઓને જ આ ગ્રંથમાંથી અનુકરણ કરવા લાયક કે સમજવા લાયક ઘણું મળી શકે તેમ છે આ ચરિત્ર બનાવટી નેવેલ તરીકે લખાયું નથી એમ સંસ્કૃત ચરિત્ર લખનાર શ્રીમાન જયતિલકસૂરિશ્રીના લેખથી સિદ્ધ થાય છે. તેઓશ્રી જણાવે છે કે શ્રીમાન તીર્થોધી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી સા વર્ષે આ મલયસુંદરીની હયાતી આ ભારતવર્ષ ઉપર હતા આ ચરિત્ર શ્રીમાન કેશીગણધરે જેમ શંખ રાજા આગળ કહ્યું હતું તેવી રીતે અહીં પણ કહેવામાં આવ્યું છે. આ ચરિત્ર શ્રીમાન જય લકસૂરિએ માગધી ચરિત્ર ઉપરથી રચ્યું છે એમ તેઓશ્રીએ એક સ્થળે ઉલ્લેખ કર્યો છે. આ ચરિત્ર કર્મની વિચિત્રતા અને કરૂણરસ પ્રધાનવાળું હેવાથી મનુષ્યનાં હૃદય જલદી પિતા તરફ આકર્ષે છે.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy