SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૫ સાવી મલયસુ દરીને ઉપદેશ ગયે ? જગતમાં આ દેહથી કણ અમર રહ્યો છે? અનંત બળધારી તીર્થકરો આ દેહથી શું વિજીત થયા નથી ? મહા સત્ત્વવાનું છમાં શિરોમણિ તુલ્ય તારા પિતા મહાબળમુનિ તે સ્ત્રીના ઉપસર્ગ કરવા પછી કેવળ જ્ઞાન પામી ત્યાં તેજ અવસરે નિર્વાણપદ પામ્યા છે. જેને માટે ધન, વજન, કલત્ર, પુત્રાદિ સર્વ વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે, જેને માટે તપશ્ચર્યાદિ દુષ્કર ક્રિયાઓ કરી મહાન દુખ સહન કરવામાં આવે છે, તેવું દુર્લભ ઉત્તમ અને શાશ્વતસ્થાન તેમણે પ્રાપ્ત કર્યું છે. આ સર્વ ભવપ્રપંચને સદાને માટે તેમણે જલાંજલી આપી છે. તેવા પવિત્ર પિતાને માટે તું હજુ સુધી શેક શા માટે કર્યા કરે છે. પોતાના કેઈપણ વહાલા માણસને મહાન નિધાનની પ્રાપ્તિ થઈ હોય તે શું વહાલપણાને દા કરનાર માણસને તેનાથી આનંદ થાય કે શેક થાય ? જે શેક થાય તે તેના વાલેસરી કહી શકાય ? નજ કહી શકાય. તેવી જ રીતે તારા પિતાને કેવળજ્ઞાનરૂપ આત્મનિધાનની પ્રાપ્તિ થઈ છે તો તેથી તને આનંદ થે જોઈ એ. કે શે ? આનંદ જ થવું જોઈએ. પેતાનો કેઈ ઈષ્ટ સંબંધી “ઘણું કાળથી બધીખાનામાં પડયે હોય અને અકસ્માત તે બંધી ખાનામાંથી છુટવાની વધામણી મળે તો તેથી તેને આનંદ થશે કે -શેક ? તેવીજ રીતે તારા પૂજ્ય પિતાને આ સંસારરૂપ.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy