SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ મલયસુંદરી ચરિત્ર આવ્યું હતું તેના તરફ આ શહેરની પ્રજાની વિશેષ ભક્તિ હતી. તમારા વડીલબંધુએ માસ ઉપવાસનું પારણું કરવા માટે એક વખત નિમંત્રણ કરી, રાજાના નિમંત્રણને માન આપી તે મહેલમાં જમવા આવ્યું. તેના પારણા માટે સર્વ સામગ્રી તૈયાર કરાવી જમવા બેસાડશે અને વિશેષમાં જમતી વખતે તેને પવન ઉઠાડવા મને આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞાને માન આપી તે કામ માટે બજાવવું પડયું, અહા ! ભક્તિની પણ મર્યાદા હેવી જ જોઈએ. નવીન યૌવન, સુંદર રૂપ, અને શૃંગારથી ભરપુર મારા શરીરને જોઈ તે પાખંડીનું મન વિક્ષિપ્ત થયું. ખરેખર તપસ્વીઓનું પણ મન સુરૂપ સ્ત્રીઓને જોઈ ચલિત થઈ જાય છે અને આજ કારણથી વીતરાગ દેવે યોગીઓને સ્ત્રીઓના સહવાસથી દૂર રહેવાનું ફરમાન કર્યું છે. જુઓ કે દરેક ગીઓ માટે કે તપસ્વીએ. માટે આમ બનતું નથી કે તેમનું મન ચલિત થઈ જ જાય, છતાં તત્વજ્ઞાનમાં પૂર્ણ પ્રવેશ નહિ કરનાર, અજ્ઞાન કષ્ટ કરનાર, સ્વ–પરના વિવેકને નહિ જાણનાર, કે પ્રથમ અભ્યાસીઓના સંબંધમાં આવા પ્રસંગે બનવાનું સુલભ છે. સત્તામાં રહેલાં કેટલાંક કર્મોને એ સ્વભાવ છે કે નિમિત્ત પામી તે કર્મોને ઉદય થાય છે, તે અવસરે આત્મજ્ઞાનમાં પ્રમાદી અને સ્વસ્વરૂપ ભૂલેલા. અભ્યાસીઓ પ્રબળ કર્મોદયને રોકવા અસમર્થ થઈ. તન, મન, ઉપરથી પિતાને કાબુ સત્તા બેઈ દેઈ અકાર્યમાં
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy