SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ મલયસુંદરી ચ રત્ર ૪. સ્થૂળ મૈિથુન વિરમણ પરસ્ત્રીગમનને ત્યાગ કરે. વિધવા વેશ્યા, બાળકુમારી વિગેરેને ત્યાગ આ વ્રતમાં આવી જાય છે. સ્વદાતા-પિતાની પરિણીત સ્ત્રીમાં જ સંતોષ રાખે તે ગૃહસ્થનું ચોથું વ્રત છે. ૫. સ્થળ પરિગ્રહ વિરમણ. ઈચ્છા અપરિમિત છે તેને નિયમમાં રાખવી. એટલે ધન, ધાન્ય, ક્ષેત્ર, ઘર, રૂપું, સોનું, હીરા, માણેક, મેતી વિગેરે. દાસ, દાસી, પશુ અને રાજ્યાદિ વૈભવ ઈત્યાદિ જે મિલકતમાં ગણવામાં આવે છે, તે સર્વને ઈચ્છાનુસાર નિયમ રાખ. તેથી વધારે થાય તે સન્માર્ગો પર પકારાદિમાં તેને વ્યય કરે, તે ચડનું પાંચનું વ્રત છે. ૬. દિગવિરમણ. ચાર કે છ દિશા તરફ જવા આવવાનો નિયમ રાખ. આ નિયમ પિતે જે શહેર કે ગામમાં રહેતા હોય ત્યાંથી ગણ અને નિયમિત ઈચ્છાનુસાર રાખ. પરમ શાંતિમાર્ગનાં પથિક બન્યા પછી ગૃહસ્થ પિતાની પાપ પ્રવૃત્તિને કે આરંભ પરિગ્રહા દિને કાબુમાં રાખવા અને ધર્મ ક્રિયામા સત્સંગાદિના અભાવે શિથિલતા પ્રાપ્ત ન થાય તે માટે આ વ્રત લેવાની જરૂર છે. ૭. ભોગપભેગ વત. એકવાર ઉપયોગમાં આવે તે ભેગ. અનાજ પાણી આદિ ખેરાક અને એકની એક વસ્તુ વારંવાર ઉપયોગમાં આવે તે ઉપભોગ. વસ્ત્ર, સ્ત્રો, પ્રમુખ તેને ઈચ્છાનુસાર નિયમ કરો. ભોજનમાં સાત્વિક ખોરાક
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy