SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ કરજ " મલયસુંદરી મરિવ નૃત્ય સારંગીને ઝણઝણાટ અને મૃદંગના ભણકારાથી જે રાજમહેલ ગાજી રહેતો હતો, તે રાજમહેલ આજે શૂન્ય દેખાય છે, ખાવા ધાય છે. વસ્ત્ર અને અલંકારે જોઈ નેત્રમાંથી અશ્રુ એવે છે. કોઈ પણ સ્થળે ચેન પડતું નથી. જે માંણસે શેધ કરવા ગયા હતા તે સર્વે પાછા આવ્યા; પણ મારા દુઃખને કારી લાગણી કેને હોય કે તેની ગમે તે સ્થળેથી તપાસ લાવે ? માટે હવે તે મારી જાતે મારે તેની શોધ કરવા જવું અને જ્યાં સુધી મને તે દયિતાને મેળાપ ન થાય ત્યાં સુધી આ રાજધાનીમાં પાછું ન જ ફરવું, નિમિત્ત પણ જણાવ્યું છે કે એક વર્ષને અંતે તમને તેને મેળાપ થશે, માટે આજે જ કેઈને કહ્યા સિવાય ગુપ્તપણે નીકળી જવું. પિતાજીને ખબર પડશે તે તે જવા રજા નહિં આપે. આ પ્રમાણે વિચારમાં ને વિચારમાં રાજકુમારે તે દિવસ પૂર્ણ કર્યો. - રાત્રિને સમય થયા. પહેરેદાર જાગૃત, નિદ્રિત એમ મધ્યમ સ્થિર્તિમાં રહ્યા હતા. એ અવસરે હાથમાં પગ લઈ, કોઈને કક્ષા સિવાય તેમજ સાથે કાઈને લીધા સિવાય પહેરેદારની નજર ચૂકવી મલયસુંદરીની શોધ માટે મહાબળ એકાકી નીકળી પડવો રસ્તોમાં ઠેકાણે ઠેકાણે મલયસુંદરીની શોધ કરવામાં સુધા, તૃષા અને નિદ્રાને પણ વિસારી દીધી અને એક ભેખધારકની માફક પૃથ્વીતટપર ફરવા લાગ્યા - - - - - - : આ બાજુ પ્રાત:કાળે તપાસ કરતા જ્યારે મહાબળ ન દેખાય ત્યારે સુરપાળરાજાને ઘણું દુઃખ થયું તેણે
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy