________________
૧૩૮
મલયસુંદરી ચરિત્ર નામાંકિત મુદ્રાન–વીંટી મળી આવ્યું છે. આ પ્રમાણે કહી તે મુદ્રામન રાજાનાં હાથમાં મૂક્યું.
રાજાકુમારીનું મુદ્રાન જોઈ મસ્તક ધુણાવવા લાગે. અને છેડે વખત નિમિત્તીઆના મુખ સામું જોઈ
રહ્યો
નિમિત્ત જરા હિમ્મતથી જણાવ્યું, રાજન ! જ્ઞાનીનું જોયેલું ભવિષ્ય કઈ વખત અન્યથા ન જ થાય.
રાજા જરા નિશાસે મૂકી બોલે. નિમિત્તજ્ઞ! કુમારી પાસેનું મુદ્રાન, આ મદેન્મા હાથીના પેટમાં કેવી રીતે આવ્યું હશે ! નિરાશાજનક મને મોટી શંકા થાય છે.
જ્ઞાનીએ જરા મોટું ઠાવકું રાખી જણાવ્યું, મહારાજા! તે વિષેનો પ્રગટ ખુલાસો મારા જ્ઞાનમાં જણ તે નથી, તથાપિ આ સર્વ પ્રભાવ કુળદેવીને હેય એમ મારૂં માનવું છે.
કુળદેવીનું કર્તવ્ય એ સંભવી શકે તેમ હોવાથી રાજા આ ખુલાસાથી હર્ષ પામ્ય અને તત્કાલ સ્વયંવર મંડપની સર્વ તૈયારીઓ ઘણા ઉત્સાહથી કરાવવાને તેણે આદેશ આપે.
પ્રથમ કેટલીક તૈયારીઓ તે થઈ જ હતી વચમાં આ વિડનથી કામ બંધ રહ્યું હતું; પણ એક પ્રતિતિ મળતાંજ કામ ધમધોકાર ચાલ્યું અને સાંજ થતાં જ વિશાળ મંડપ તૈયાર થયો. બીજી બાજુ રાજા અને રાજકુમારોને