SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ - મલયસંદરી ચરિત્ર મહાબળે કાંઈક વિચાર કરી રાજકુમારીને જણાવ્યું. રાજબાળા હમણું મારે ત્રણ કાર્ય કરવાના છે. પહેલું કાર્ય તે એ છે કે, મરવાને ઉજમાળ થયેલા તારા કુટુંબનુ રક્ષણ કરવું. બીજું કાર્ય વિરધવળ રાજાએ અર્પણ કરેલી રાજકુમારો સમક્ષ તારું પાણી ગ્રહણ કરવું. ત્રીજુ કાર્ય મારી માતાને હાર આપી, તેના જીવિતવ્યનું રક્ષણ કરી મારા કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી. આ ત્રણ કાર્યમાં મને તારી મદદની પૂર્ણ જરૂર પડશે. આ પુરૂષને વેશ હાલ તે તારે કાયમ રાખવાને છે. આજ વેષે સંધ્યા સમયે શહેરની અંદર તારે મગધા વેશ્યાને ઘેર જવું, કેમકે હજી કનકવતી તેને ઘેર જ હશે. સાથે તારે એવી બુદ્ધિ કેળવવી અને એવી રીતે વર્તન કરવું કે, લક્ષ્મીપુંજહાર આપણે હાથ આવે. આ કાર્ય વારે કરવાનું છે. હું તે અહીંથી સિધો જ મશાન તરફ જાઉં છું કેમકે તારા વિયોગથી દુઃખી થયેલ તારા માતા પિતા અગ્નિમાં પ્રવેશ કરી બળી મરવાના છે. તેઓને બુદ્ધિબળથી બચાવ કરવાનું છે. કુમારી ! તારૂં મુદ્રા રત્ન–વીંટી મને આપ. કદાચ કઈ ચોરની ભ્રાંતિથી તને હેરાન ન કરે. કુમારીએ મુદ્રાર–નામાંક્તિ વીંટી મહાબળને આપી. મહાબળે વિશેષ સૂચના કરી કે, જેમ રાજપુરૂષે તને વિશેષ ન જુવે તેમ શહેરમાં ફરવું. આજની આખી રાત્રિ વેશ્યાને ઘેર કનકવતીની અને હારની તપાસમાં જ પૂરણ કરવી.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy