SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ લયસંદરી અજગરના મુખમાં મલયસુંદરીન સરખી આવૃત્તિ જણાવા લાગી. તેથી કુમારને વિશેષ આશ્ચર્ય થયું. પોપકારની લાગણી તે હતી જ, તેમાં વળી આતે પ્રેમપાત્ર, એટલે સોનું અને સુગંધ. કુમાર તેની નજીક આવી બેઠો. પાસે બેસી પિતાના વસ્ત્રવડે શીતળ પવન નાખવા લાગે એ અવસરે મૂચ્છ માં પરવશ થયેલી બાળાના મુખમાંથી હૃદયમાં કેતરાઈ રહેશે અને વિશેષ પ્રકારે મનન થયેલો શબ્દને ધ્વનિ નીકળે. विधत्ते याधिस्तत्स्या, न स्यात् हृदयचितित । .... एवमेवात्सुः चित्त, मुपायांश्चियेबहून् ॥ १ ॥ આ કલેક સાંભળતાં જ મહાબો નિર્ણય કર્યો કે, આ મલયસુંદરી જ છે. તેથી વિશેષ તેનું શરીર સંવાહન કરવા-દબાવવા લાગ્ય; વનના શીતળ પવનથી અને મહાબળની મદદથી થોડા વખતમાં કુમારીએ પોતાની દષ્ટિ ખોલી. ' મહાબળે જણાવ્યું, “મૃગાક્ષી ! નિંદ્રાને ત્યાગ કરી સ્વસ્થ થા. તારી આ અવસ્થા જોઈ મારું હૃદય આકુળવ્યાકુળ થાય છે - શબ્દો કાન પર અથડાતાં જ નેત્ર ઉઘાડી રાજબાળા બેઠી થઈ. પિતાની પાસે બેઠેલા અને શરીરને સંવાહન કરતા રાજકુમાર મહાબલને જોઈ, તેના હર્ષને પાર ન રહો તેના મેરેમમાં આનંદ્રઉછળ આવ્યું. પિતાને માથે પડેલ દાખ ભૂલી ગઈ. શરીર સંકેચ, વસ્ત્ર બરબર પહેરી, સ્નિગ્ધ દષ્ટિએ કુમારની સન્મુખ જોઈ રહી.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy