SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શા, આચાર્ય મહારાજે કૃપાથી કહ્યું કે હે મહાભાગ! આત્મહત્યા ! કરવી તે મહાપાપ છે. વધારે શું કહીએ, લેકે પિતાની મૂર્ખતાથી કર્મ ઉપર ક્રોધ કરે છે. કર્મના - કર્તા ઉપર કોઈ કરતું નથી. આપઘાત કરીને મરવાથી કર્મ તો આત્માની સાથે જાય છે. માટે કર્મ ક્ષયના માર્ગને વિચાર કરવો જોઈએ. તેને ઉપાય તે જિનેશ્વર પ્રણિત ધર્મમાં રહેલું છે. તેને છેડી તું માટી મૂર્ખતા કરી રહ્યો છે. મનુષ્યજીવન આદિ સામગ્રી ફરીથી મળવી ઘણી મુશ્કેલ છે. માટે વ્રતને ગ્રહણ કરે, અને તેના ફળને ગ્રહણ કરે, વિચાર કરીને જવલને કહ્યું કે ભગવન! આપ સત્ય કહે છે, પરંતુ હું હમણાં દીક્ષા લઉં તે આ બાળકની શું દશા થાય ? અથવા તેને પણ પ્રવજ્યા આપી, મારી ઉપર ઉપકાર કરે, ગુરુજીએ બનેને દીક્ષા આપી જવલન મુનિએ તલવારની ધાર સમાન વ્રતનું લાંબા સમય સુધી પાલન કર્યું. પરંતુ શુદ્રક મુનિ ઉપર પિતાને પ્રેમ કાયમ રહ્યો, કેવલ કુટિલ શુદ્રક દરરોજ નવનવી વસ્તુઓની માંગણથી, જવલનમુનિને હેરાન કરે છે. અણગમતું ખાવાથી પિટમાં પીડા થાય છે. તપથી પ્લાનિ પેદા થાય છે. ' બે ત્રણવાર સારી સારી વસ્તુઓ લાવીને આપતા હતા, એવી રીતે શુદ્રકને જ્યારે જે જે વસ્તુની આવશ્યકતા હોય ત્યારે જવલનમુનિ લાવીને આપતા હતા, મલમૂત્રાદિવાળા વસ્ત્રોને ધેતા હતા, જ્ઞાનાભ્યાસમાં તેને કંઠ અને .
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy