SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૨-૩૩ જેમ ઘરની અંદરમાં રહેલી મણિની પ્રભા ઘરમાં પ્રસર પામે છે, અને ઘરની દીવાલોથી અવરુદ્ધ થવાને કારણે દીવાલોથી અવરુદ્ધ પ્રદેશમાં તે પ્રભા રહે છે, પરંતુ ઘરની બહાર તે પ્રભા જતી નથી, તેમ હૃદયમાં રહેલો સાત્ત્વિક પ્રકાશ પ્રસર પામતો બ્રહ્મધમાં સંપિડિતપણાને પામે છે, તે મૂર્ખજ્યોતિ કહેવાય છે; અને તે મૂર્ખજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન થાય છે. સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે રહેલા તે દિવ્યપુરુષોને સંયમ કરનાર યોગી જુએ છે અને તેમની સાથે સંભાષણ કરે છે. ||૩-૩૨|| અવતરણિકા : सर्वज्ञत्वे उपायमाह અવતરણિકાર્ય : - સર્વજ્ઞપણામાં ઉપાયને ક્લે છે ભાવાર્થ : અત્યાર સુધી સંયમથી કઈ કઈ બાહ્યસિદ્ધિ થાય છે તે બતાવ્યું. ત્યારપછી દેહ અંતર્ગત કઈ કઈ સિદ્ધિ થાય છે તે બતાવ્યું. હવે જગતના સર્વપદાર્થવિષયક જ્ઞાન સંયમથી કઈ રીતે થાય છે તે બતાવવા અર્થે કહે છે. સૂત્રઃ પ્રતિમાણ્ વા સર્વમ્ ॥રૂ-રૂફા ૫૧ સૂત્રાર્થ : અથવા પ્રાતિભથી=પ્રાતિભજ્ઞાનમાં સંયમ કરવાથી, પ્રાતિભજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રાતિભજ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય છે. II3-33|| ટીકા : 'प्रातिभादिति’-निमित्तानपेक्षं मनोमात्रजन्यमविसंवादकं द्रागुत्पद्यमानं ज्ञानं प्रतिभा, तस्यां संयमे क्रियमाणे प्रातिभं विवेकख्यातेः पूर्वभावि तारकं ज्ञानमुदेति, यथा- उदेष्यति सवितरि पूर्वे प्रभा प्रादुर्भवति तद्वद्विवेकख्यातेः पूर्वे तारकं सर्वविषयं ज्ञानमुत्पद्यते, तस्मिन् सति संयमान्तरानपेक्षः सर्वं जानातीत्यर्थः ॥ ३ - ३३॥ ***** ટીકાર્ય : निमित्तानपेक्षं નૃત્યર્થ: ॥ નિમિત્તની અપેક્ષા વગર મનોમાત્રથી જ્ય અવિસંવાદક તત્કાળ ઉત્પન્ન થતું એવું જે જ્ઞાન તે પ્રતિભા છે. તેમાં=પ્રતિભાવાળા તે જ્ઞાનમાં, સંયમ કરાયે છતે પ્રાતિભ
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy