SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૪-૫૫ આનાથી એ ફલિત થાય છે કે વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન – (૧) યોગીને સંસારસાગરથી તારનાર છે, (૨) સંસારમાં વર્તતા મહદાદિ સર્વવિષયોવાળું છે અને (૩-૪) તે મહદાદિ સર્વ વિષયોના સૂક્ષ્મ, સ્થૂલ આદિ સર્વ ભેદોને ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળને આશ્રયીને એક સાથે ગ્રહણ કરનાર છે. 3-૫૪ll અવતરણિકા: अस्माच्च विवेकजात् तारकाख्याज्ज्ञानात् किं भवतीत्याह - અવતરણિકાઈ: આ વિવેકથી ઉત્પન્ન થયેલા તારક નામના જ્ઞાનથી શું થાય છે અને કહે છે – સૂત્ર : सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यम् ॥३-५५॥ સૂત્રાર્થ : સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં અર્થાત્ સત્વની અને પુરુષની સમાન શુદ્ધિમાં કૈવલ્ય-પુરુષનો મોક્ષ, થાય છે. 13-પપી ટીકા : ___ 'सत्त्वेति'-सत्त्वपुरुषावुक्तलक्षणौ तयोः शुद्धसाम्ये कैवल्यं, सत्त्वस्य सर्वकर्तृत्वाभिमाननिवृत्त्या स्वकारणेऽनुप्रवेशः शुद्धिः, पुरुषस्य शुद्धिरुपचरितभोगाभाव इति द्वयोः समानायां शुद्धौ पुरुषस्य कैवल्यमुत्पद्यते मोक्षो भवतीत्यर्थः ॥३-५५॥ ટીકાર્ય : સત્ત્વપુરુષ .... રૂત્યર્થ કહેવાયેલા લક્ષણવાળા સત્ત્વ અને પુરુષ એ બેની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય પુરુષનું કેવલપણું, થાય છે. સત્ત્વ અને પુરુષની શુદ્ધિ શું છે? તે સ્પષ્ટ કરે છે – સત્ત્વની સર્વકર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થવાથી સ્વકારણમાં અનુપ્રવેશ શુદ્ધિ છે બુદ્ધિરૂપ સત્ત્વમાં જે કર્તુત્વનું અભિમાન હતું તે સર્વકતૃત્વના અભિમાનની નિવૃતિ થવાથી બુદ્ધિના સ્વકારણરૂપ પ્રકૃતિમાં સત્ત્વરૂપ બુદ્ધિનો અનુપ્રવેશ એ સત્ત્વની શુદ્ધિ છે. ઉપચરિત ભોગનો અભાવ પુરુષની શુદ્ધિ છે=બુદ્ધિમાં પ્રતિબિંબિત પુરુષ હોવાના કારણે બુદ્ધિના ભોગનો પુરુષમાં જે ઉપચાર થતો હતો તે બુદ્ધિ પ્રકૃતિમાં લય થવાથી પુરુષનો ઉપચરિત ભોગાભાવ પ્રાપ્ત થાય છે તે પુરુષની શુદ્ધિ છે.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy