SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ કુમારપાળ ચરિત્ર પૂર્વભવમાં કેટલાક દિવસ તું ચીયદિ સિંઘ કાર્ય માં રક્ત થયે હતું. તેના પાપથી આ ભવમાં કેટલાક સમય સુધી તારે કલેશ ભોગવો પડે. તેમજ પાંચ કેડીથી ખરીદેલાં પુપિવડે જે તે શ્રીમાન જિનેનદ્રભગવાનની પૂજા કરી અને બહુ ભકિત પૂર્વક જે મુનિઓને દાન આવ્યું. તેથી ઉત્પન્ન થયેલા સંપતિએના નિધાનની માફક પ્રચંડ પુણ્ય વડે તું પૂજ્ય લક્ષમીને અધિપતિ પરમહંત રાજા થયે. - ભાવપૂર્વક તેવી શ્રીનિંદ્રભગવાનની પૂજા કયાં એકવાર આપેલું તે મુનિદાન કયાં? અને આવું અદ્દભુત પ્રકારનું તારૂં ઐશ્વર્ય કયાં? અહો ! ધર્મને મહિમા અલૌકિક હોય છે. હે રાજન! આ તારો પૂર્વભવ મેં કહ્યો. એમાં તને સંશય હોય તે એકશિલાનગીમાં કઈ તારા હિત પુરુષને મોકલી આ બાબત તું . પૂછાવી તપાસ કર. ઓઢર શ્રેષ્ઠીના પુત્રના ઘરમાં કઈ વૃદ્ધ દાસી છે. તે વૃદ્ધા મૂળથી આરંભી આ સર્વ વૃત્તાંત કહેશે. શતબલરાજા હે રાજન ! હવે અહીંથી આયુષ્ય પૂર્ણ કરી પંડિતમૃત્યુ-જ્ઞાન પૂર્વક મૃત્યુવડે તું યંતર ગતિમાં ઉત્તમ દેવ થઈશ. ત્યાં પણ કલ્યાણની ઈચ્છાવાળે અને દેથી અલંકૃત તે સુરેમ ભૂતલપર ફરી ફરીને શાશ્વત ચૈત્યનં દર્શન કરશે. તેમજ તે સુરત્તમ સૌધર્મ સુરેદ્રની માફક ભાવ વડે નંદીશ્વરાદિ દ્વીપમાં મોટા અષ્ટાક્ષિક મહત્સવ કરશે. વળી તે સુત્તમ મહાવિદેહાદિ ક્ષેત્રમાં પવિત્ર મુનિઓને વારં વાર નમસ્કાર કરી શ્રોત્રને અમૃત સમાન પાન કરવા લાયક તેમના ઉપદેશ રસનું બહુ ભાવથી પાન કરશે. અનેક શ્રી-લક્ષમી સમાન દેવીઓ વડે અલંકૃત તે સુરત્તમ નંદનાદિ વનમાં પોતાની ઈચ્છા પ્રમાણે વિલાસ કરશે.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy