SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયયાત્રા ૨૦૫ ત્યારપછી લવણ સમુદ્રના કીનારે અન્ય રાજાઓને પેાતાને વશ કરતા કુમારપાલરાજા તી ભૂમિરૂપ સુરાષ્ટ્ર દેશમાં ગયા. સ્ફુરણાયમાન છે પ્રચંડ માણુ જેનાં એવા શ્રીચૌલુકયના યુદ્ધના પ્રભાવથી કામીપુરુષના સ`ગરસથી દ્રવીભૂત સ્ત્રી જેમ સુરાષ્ટ્રદેશના અધિપતિ પલાયન થઇ ગયા, એમાં શું આશ્ચર્ય ! પછી શ્રીકુમારપાલરાજાએ પ્રભાસક્ષેત્રમાં સ્નાન કર્યું. શ્રીચંદ્રપ્રભુસ્વામીનાં દન કરી વંદન કર્યુ. પછી સૂર્ય સમાન કાંતિમાન શ્રીકુમારપાળભૂપતિએ મદેન્મત્ત થયેલા કચ્છદેશના રાજાએના પરાજય કરવા તે દેશમાં પ્રયાણ કર્યું.. ત્યાં કચ્છીરાજાએ એકત્ર થઈ ભૂજમલના પ્રભાવથી અકતર શસ્ત્રાદિક સહિત પેાતપેાતાની સેના સાથે યુદ્ધમાં ઉતર્યા. મેદ્યમાંડલને જેમ વાયુ તેમ શત્રુઓએ કુમારપાલના રોન્યને પરાજય કર્યો. ત્યારપછી પેાતાના સૈન્યના પરાજય જોઈ ઇંદ્રસમાન પરાક્રમી શ્રીકુમારપાલ રાજાએ અનિવાર્ય માથેાની વૃષ્ટિવડે મેધની માફક દિવસને અંધકારમય કર્યાં. કચ્છદેશના નેતાઓએ ખતર પહેરેલાં હતાં, છતાં પણ તેમનાં શરીર ચૌલુકયના ખાણેાવડે વિંધાઈ ગયાં. જેથી તેમણે ચૌલુકયની આજ્ઞા મસ્તકે ધારણ કરી, પછી ગૂજરેશ્વરે ત્યાંથી પજામદેશમાં પ્રયાણ કર્યુ”—તે દેશના રાજાને નૌકાસાધન વિશેષ હતું, તેથી તે બહુ ઉદ્ધત હતા. નૌકાઓમાં આરૂઢ થઇ કુમારપાલના સૈનિકોએ તેની સાથે યુદ્ધ કર્યુ ક્રોધાવેશમાં આવી ગયેલા તેના સુભટો શર(ખાણુ) અને ભુજમળના આશ્રયથી લાંખા વખત સુધી મરણીયા થઇ લડયા. છેવટે તેઓ હારી ગયા. ત્યારપછી પ જાખના નેતાએ લડાઈ કરી. તેને પણ ગુજ રેશ્વર હરાજ્યે અને તેના અહંકાર ઉતાર્યાં. એમ તેના દ્વિગુવિજયમાં ગ્રીષ્મૠતુમાં સમુદ્રની ભરતીની જેમ જગતને વિસ્મય કરનારી લક્ષ્મી દિવસે દિવસે વૃદ્ધિ પામી.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy