SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ કુમારપાળ ચરિત્ર પ્રાચે દરેક જંતુઓને પેાતાને ઉચિત વસ્તુના લાભ થાય ત્યારે જ આન મળે છે.” બળદો અમૃતસમાન સ્વાક્રિષ્ટ પ્રવાહનુ' જલપાન કરી નદીના કાંઠાપર દ્રાક્ષાસમાન સુકેામળ દુર્વાદિક ઘાસ ચરી તૃપ્ત થયા. ગ્રીષ્મૠતુના તાપથી તપી ગયેલા સૈનિક લેાકેા નદીના ઠંડા જલમાં સ્નાન કરી અમૃતના અભિષેક સમાન આનંદ પામ્યા. મિત્રોની સાથે શ્રીકુમારપાલ રાજાએ હાથીઓના સમૂહ સાથે ગજે'દ્ર જેમ નદીના મધ્યપ્રદેશમાં જળક્રીડા કરી. જેનું જલ કમલાના ખરતા પરાગ વડે પીળાશ પર હતું અને મદ્ય મદ્ય પવનને લીધે જેની અંદર તરંગા ઉછળતા હતા. તેમજ તે પ્રવાહની અંદર લક્ષ્મી સમાન સુદર એવી અ ંત:પુરની સ્ત્રીએ ક્રીડા કરવા ઉતરી, નેત્રાનાં અંજન અને શરીરે શ્રીખંડના લેપ ધાવાવાથી ક્ષણમાત્ર અસંભવ છતાં પણ તે નર્મદાનદી યમુનાનદીની ભ્રાંતિ આપતી હતી અને બહુ માનદથી તે સ્ત્રીએ એક બીજી પર જલ સિંચન કરતી હતી. તેમજ કંઠમાં પુષ્પમાળાએ ધારણ કરતી અને સુંદર પલ્લવેના આભૂષણેાથી મને હર શૈનિકોની સ્ત્રીએ દેવીએની માફક કઠાના વનમાં ચિરકાલ વિહાર કરવા લાગી, એમ રેવાનદીના કીનારે સવ સૈનિકોએ આનંદ કર્યો. શ્રીકુમારપાલભૂપતિ સૌન્ય સદ્ગિત નર્મદાનદી ઉતરીને આભીર દેશમાં ગયા. ત્યાં પ્રકાશા નગરીના અધિપતિને પેાતાના પરાક્રમ વડે ચૌલુકયરાજાએ પેાતાના સેવક કરી સ્થાપન કર્યાં. વિજયયાત્રા ખાદ ત્યાંથી પાછા ફરીને વિધ્યાદ્રિ પર્વતમાં આન્યા. ત્યાં આવેદી પલ્લીને હાથી વેન્નીને તેમ આક્રમણ કરી તેના અધિપતિને પુષ્કળ દંડ લીધે.. તેમજ દેશાંતરીય ઘણા અશ્વ, મણિરત્ન અને કુલાદિક બહુ લેટ લઈ લાદેશનેા અધિપતિ એાસરી બ્રાહ્મણ ગુરેદ્રની સામે આવ્યા અને તેણે બહુ સેવા કરી.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy