SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૨૩૮-૨૩૯-૨૪૦ ૧૨૧ શરીરમાં પ્રવેશેલા છે, તે સૂરિ કહે છે, ખરેખર વિચિત્ર એવા આ બંને વ્યક્ત અને અભિવ્યક્તપણાથી સર્વત્ર પામેલા છે. સ્પર્શન અને અશુભકર્મો બાળ જેવા જીવોમાં વ્યક્ત હોય છે, મધ્યમ અને મનીષીમાં અવ્યક્ત હોય છે. આથી મનીષી પણ નિમિત્ત પામીને બાલ થાય છે ત્યારે સ્પર્શન અને અશુભકર્મો પ્રગટ થાય છે. તેથી જેઓ વીતરાગ થયા નથી કે વીતરાગ થવાની તૈયારીમાં નથી તેવા જીવોમાં અશુભકર્મ અને દુષ્ટ સ્પર્શન અવ્યક્તરૂપે વર્તે છે. અને જેઓ બાળ જેવા છે તેમાં વ્યક્ત વર્તે છે. Im૨૩૮ બ્લોક : अथ स्फुटं मन्त्रिणमाह भूपः । पापाविमौ नो विषये प्रविष्टौ । निष्पीडनीयौ दृढलोहयन्त्रे, दयाऽनयोर्नो भवता विधेया ।।२३९।। શ્લોકાર્ચ - હવે, રાજા મંત્રીને સ્પષ્ટ કહે છે. અમારા વિષયમાં=અમારા નગરમાં, પ્રવેશેલા આ બંને અશુભાલિ અને સ્પર્શન એ બંને, દઢ લોહયંત્રમાં પીલવા જોઈએ, આ બંનેની તારા વડે દયા કરવી જોઈએ નહીં. ll૨૩૯ll શ્લોક : मन्त्री स दध्यौ ननु विस्मृतं तद्, हिंसाविधौ यन्मम नो नियोगः । राज्ञोऽथवाऽसौ प्रतिबोधहेतुर्गुरो भविष्यत्यधिगत्य वाचम् ।।२४०।। શ્લોકાર્ચ - તે મંત્રીએ વિચાર્યું, હિંસાવિધિમાં જે મારો નિયોગ નથી તે રાજાને વિસ્મૃત થયું, અથવા ગુરુની વાણીને પ્રાપ્ત કરીને આ=રાજાનો આદેશ પ્રતિબોધનો હેતુ થશે. ર૪oll
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy