SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ બુધસૂરિના વૃત્તાંતનો ઉપસંહાર શ્લોકાર્થ ઃ અને ત્યારપછી બુધ વડે તેણી માર્ગાનુસારિતા આ પુછાઈ – હે ભદ્રા ! કેવી રીતે આની સાથે=ઘ્રાણની સાથે, મને સંસર્ગ થશે નહીં ? ।।૬૧૨।। શ્લોક ઃ मार्गानुसारिता प्राह, देव! हित्वा भुजङ्गताम् । तिष्ठ त्वं साधुमध्यस्थः, सदाचारपरायणः । । ६१३।। શ્લોકાર્થ : માર્ગાનુસારિતા કહે છે હે દેવ ! બુધ ! ભુજંગતાને છોડીને=ઘ્રાણમાં આસક્તિને છોડીને, સાધુની મધ્યમાં રહેલો, સદાચારપરાયણ તું રહે. II૬૧૩।। શ્લોક ઃ ततोऽयं विद्यमानोऽपि, दोषसंश्लेषकारणम् । न ते संपत्स्यते देव! ततस्त्यक्तो भविष्यति ।।६१४।। શ્લોકાર્થ : તેથી=સાધુની મધ્યમાં સદાચારમાં પરાયણ તું રહીશ તેથી, હે દેવ ! વિધમાન પણ આ=ધ્રાણ, તને દોષના સંશ્લેષનું કારણ થશે નહીં. તેથી=ભુજંગતા નહીં હોવાને કારણે ઘ્રાણ દોષસંશ્લેષનું કારણ થશે નહીં તેથી, ત્યાગ કરાયેલો=ઘ્રાણ દ્વારા ત્યાગ કરાયેલો (તું) થઈશ. ।।૬૧૪|| શ્લોક ઃ बुधेनापि कृतं सर्वं, विज्ञाय हितमात्मने । मार्गानुसारितावाक्यं तत्तदा प्राप्य सद्गुरुम् ।।६१५ । । શ્લોકાર્થ ઃ બુધ વડે પણ પોતાનું હિત જાણીને સર્વ માર્ગાનુસારિતાનું વાક્ય ત્યારે તે સદ્ગુરુને પ્રાપ્ત કરીને કરાયું=બુધસૂરિના જે ગુરુ છે જેમની પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી છે તે સદ્ગુરુને પ્રાપ્ત કરીને કરાયું, II૬૧૫।। શ્લોક ઃ ततो गृहीतदीक्षोऽसौ, साध्वाचारपरायणः । विज्ञातागमसद्भावो, गुरूपासनतत्परः ।।६१६ ।।
SR No.022718
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 06
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy