SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કહેવા જેવું રહેતું નથી. હવે મારા શોકસંતાપ નાશ પામ્યા છે=ભવજંતુએ જે આ રીતે મારો ત્યાગ કર્યો તેના કારણે જે શોકસંતાપ થયેલા તે હવે નાશ પામ્યા છે. કેમ નાશ પામ્યા છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. તારા વડે=બાલ વડે, ભવજંતુ વિસ્મરણ કરાયેલા જેવો છે—તારા આશ્વાસનથી ભવજંતુ જાણે મને સર્વથા વિસ્મરણ કરાયો છે. તયયુગલ શીતલ થયું છે, ચિત્ત આલાદિત થયું છે. તારા દર્શનથી=બાલવા દર્શનથી મારું શરીર નિર્વાપિત થયું છે=અંતઃસ્તાપથી જે દગ્ધ હતું તે શાંત થયું છે. વધારે શું કહેવું? તું જ હવે ભવજંતુ છે ! ત્યારપછી તે બેનો=બાલ અને સ્પર્શનનો, નિરંતર સ્નેહભાવ થયો. ભાવાર્થ બાલે સ્પર્શેન્દ્રિયને આપઘાત કરવાનું કારણ પૂછ્યું તેનું સ્પષ્ટીકરણ અત્યાર સુધી સ્પર્શેન્દ્રિય કર્યું. વસ્તુતઃ સ્પર્શેન્દ્રિય એ જીવના મતિજ્ઞાનના ક્ષયોપશમભાવના ઉપયોગ સ્વરૂપ છે અને દ્રવ્ય રૂપ સ્પર્શેન્દ્રિય દેહ સ્વરૂપ છે. તે દેહમાં વર્તતા જીવનો દ્રવ્યસ્પર્શેન્દ્રિયના અવલંબનથી થનારો મતિજ્ઞાનના ક્ષયોપશમરૂપ ઉપયોગ તે ભાવસ્પર્શેન્દ્રિય છે અને તે ઉપયોગ દેહને અનુકૂળ ભાવોમાં જીવને શાતાના વેદનરૂપ, અને રતિના વેદનરૂપ વર્તે છે, દેહને પ્રતિકૂળ ભાવમાં અશાતા રૂપે અને અરતિરૂપે વર્તે છે. વળી, જે જીવોને તત્ત્વનો લેશ પણ બોધ નથી, તેઓને આ સ્પર્શજન્ય સુખ જ મારું સુખ છે અને સ્પર્શને વ્યાઘાતક સામગ્રીથી થતું દુઃખ એ મારું જ દુઃખ છે તેવો બોધ વર્તે છે; કેમ કે તેઓનો મતિજ્ઞાનનો ઉપયોગ સ્પર્શેન્દ્રિયજન્ય સુખ માત્રમાં વ્યાપારવાળો છે. કષાયોના ઉપશમજન્ય સુખના ગંધનો લેશ પણ તેઓમાં નથી તેવા જીવો બાળ જીવ છે. તેથી, તેઓને સ્પર્શેન્દ્રિય પરમ મિત્ર રૂપ જણાય છે અને જેઓને સદાગમનો પરિચય થયો છે તેનાથી શ્રુતજ્ઞાનાવરણનો માર્ગાનુસારી ક્ષયોપશમ થયો છે તેવા જીવોને ઇન્દ્રિયોની આકુળતા સુખ નથી પરંતુ ઇન્દ્રિયોના વિકાર વગરના નિરાકુળ આત્માનું સ્વરૂપ સુખરૂપ છે એવો કંઈક બોધ થયો છે, છતાં ઇન્દ્રિયનાં વિપાક આપાદક કર્મો ક્ષયોપશમભાવને પામ્યાં નથી તેથી સ્પર્શેન્દ્રિયના વિકારો થાય છે. તેથી તેઓનો મતિજ્ઞાનનો ઉપયોગ સ્પર્શેન્દ્રિય સાથે સંલગ્ન થઈને સ્પર્શેન્દ્રિયના અનુકૂળ ભાવોમાં રતિનો અનુભવ કરે છે અને ઇન્દ્રિયોના પ્રતિકૂળ ભાવોમાં અરતિનો અનુભવ કરે છે. તોપણ માર્ગાનુસારી પ્રજ્ઞાને કારણે તેઓનો મતિજ્ઞાનનો ક્ષયોપશમ અનંતાનુબંધીના ક્ષયોપશમભાવથી અને મિથ્યાત્વના ક્ષયોપશમભાવથી સંવલિત હોવાને કારણે સ્પર્શેન્દ્રિયજન્ય સુખની જે ઇચ્છા થઈ અને તે સ્પર્શજન્ય રતિ થઈ તે આત્માની વિકૃતિ હોવાથી આત્માનું હિત નથી. પરંતુ કર્મબંધનું કારણ આ વિકારો છે અને પાપપ્રવૃત્તિઓ કરાવીને દુર્ગતિઓનું કારણ આ વિકારો છે, તેવો બોધ હોવાથી તે જીવો સતત સદાગમ સાથે પર્યાલોચન કરીને સદાગમના વચનાનુસાર ઉચિત ઉપાયોને સેવીને સ્પર્શજન્ય વિકારોને શાંત કરવા યત્ન કરે છે. જ્યાં સુધી સદાગમના ભાવનના બળથી તે પ્રકારનો ચારિત્ર મોહનીય ક્ષયોપશમભાવને પામ્યો નથી. ત્યાં સુધી કંઈક વિકારોના શમન માટે પણ યત્ન કરે છે, સદાગમના વચનાનુસાર સ્પર્શનની વિકારશક્તિને ક્ષીણ કરવા માટે પણ ઉચિત ક્રિયાઓ કરે છે. તેઓનો મતિજ્ઞાનનો ઉપયોગ કંઈક સ્પર્શનના વિકારોવાળું, કંઈક સ્પર્શનના શાતાજન્ય સુખના અનુભવવાળું અને સ્પર્શનના સુખના ભોગકાળમાં કંઈક રતિના પરિણામવાળું
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy