SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ અન્યથા થયો ?=મારી સાથે વિપરીત આચરણાવાળો થયો, હા ! ખેદ છે કે મંદભાગ્ય એવો હું હણાયો છું, એ રીતે અત્યંત રડતો, વજ્રથી હણાયેલાની જેમ, પિસાયેલાની જેમ, હરણ કરાયેલા સર્વસ્વની જેમ, શોકના ભરાવાથી આક્રાન્તમૂર્તિ એવો હું દુઃખના અતિરેકને પામ્યો, અને કોઈક રીતે પર્યાલોચન કરતા મારા વડે જણાયું=સ્પર્શન એવા મારા વડે જણાયું, તે=સ્પર્શન, બાલ અને મનીષીને કહે છે. અરે ! સર્વ પણ આ સદાગમના પર્યાલોચનથી જનિત અનર્થનો પ્રસંગ છે=મારા મિત્ર એવા ભવજંતુએ સદાગમ સાથે જે વિચારણા કરી તેનાથી થયેલા મારા માટે આ સર્વ અનર્થનો પ્રસંગ છે, આ મારો મિત્ર પાપી એવા સદાગમથી ઠગાવાયો છે. અને તે=ભવજંતુ, મારા હૃદયનું જાણે ઉન્મૂલન ન કરતો હોય તેમ ફરી ફરી સદાગમની સાથે એંકાતમાં પર્યાલોચન કરે છે. તે કારણથી નિવારણ માટે=સદાગમના સંગના નિવારણ માટે, રટન કરતા એવા મતે સાંભળતો નથી. ЧО સ્પર્શેન્દ્રિય હંમેશાં સ્પર્શજન્ય સુખની અભિલાષા કરે છે. તેથી સ્પર્શસુખના વ્યાઘાતક સદાગમના સંગનું નિવા૨ણ ક૨વા તે પ્રેરણા કરે છે. પરંતુ વિવેકને પામેલ તે જીવ સ્પર્શેન્દ્રિયને આધીન થયા વગર સદાગમની સાથે વિચારણા કરીને ઇન્દ્રિયોને જીતવા ઉચિત વિચારણા કરે છે. તેથી સ્પર્શેન્દ્રિય દ્વારા સદાગમના નિવારણ માટે વારંવાર સૂચન હોવા છતાં તે જીવ સ્પર્શેન્દ્રિયને સાંભળતો નથી. અને સદાગમનું પર્યાલોચન ભવજંતુ જીવને જે જે પ્રમાણે અત્યંત પરિણમન પામે છે. તે તે પ્રમાણે મને=સ્પર્શનને, આ અત્યંત શિથિલ કરે છે=ભવજંતુ જેમ જેમ સદાગમના વચનથી સ્પર્શેન્દ્રિય વાસ્તવિક સ્વરૂપનું સમાલોચન કરે છે, તેમ તેમ તેને સ્પર્શેન્દ્રિય વિકારો ઉત્પન્ન કરીને આત્માનું અહિત કરનાર તેવો નિર્ણય થાય છે. તેથી તે જીવ અત્યંત સ્પર્શેન્દ્રિયની મિત્રતાને શિથિલ કરે છે. તેથી=ભવજંતુ મને અત્યંત અનાદર કરે છે તેથી, મને ગાઢતર દુઃખ વધે છે. અન્યદા ક્યારેક એકાંતમાં સદાગમની સાથે દેઢતર પર્યાલોચન કરીને ભવજંતુ વડે મારી સાથેનો સંબંધ સર્વથા જ ત્યાગ કરાયો=પૂર્વમાં ગૃહસ્થ અવસ્થામાં કંઈક સ્પર્શન સાથે સંબંધ હતો હવે ભવજંતુ સર્વવિરતિ ગ્રહણ કરે છે ત્યારે સ્પર્શન સાથે સર્વથા સંબંધ ત્યાગ કરાયો, હું=સ્પર્શન, ચિત્તથી દૂર કરાયો=દેહ સાથે સંયમકાળમાં સ્પર્શનનો સંબંધ હોવા છતાં ચિત્તથી સંયમકાળમાં સ્પર્શનનો ત્યાગ કરાયો. મને વલ્લભ એવા કોમલ રૂના ગાદીતકિયા વગેરેથી યુક્ત એવાં શયનો, હંસપક્ષાદિથી પૂરિત એવાં આસનો પૂર્વમાં જે ગ્રહણ કરાયેલાં તેના વચનથી જ=સદાગમના વચનથી સર્વકૃત્યો ત્યાગ કરાયાં=સંયમગ્રહણ કર્યા પછી સ્પર્શેન્દ્રિયને અનુકૂળ સર્વકૃત્યો ત્યાગ કરાયાં, બૃહતિકા, પ્રાવાર રલ્લિકા ચીનાંશુક પટ્ટાંશુકાદિ કોમલવસ્ત્રો ત્યાગ કરાયાં=સદાગમ વચનથી ત્યાગ કરાયાં, શીત, ઉષ્ણ ઋતુના પ્રતિકૂળપણા વડે મને સુખદાયી સેવ્ય કસ્તૂરી, અગર ચંદન આદિ વિલેપનો પ્રત્યાખ્યાન કરાયાં. સદાગમ વચન વડે ત્યાગ કરાવાયા, મને આહ્લાદના અતિરેકનો સંપાદક કોમલ શરીરની લતાથી યુક્ત સ્ત્રીઓનો સમૂહ સર્વથા ત્યાગ કરાયો. ત્યારથી માંડીને તે ભવજંતુ કેશનું ઉત્પાટન કરે છે. કઠિનભૂમિમાં સૂએ છે, શરીરમાં મલ ધારણ કરે છે. ક્ષીણ થયેલાં વસ્ત્રોને ધારણ કરે છે, દૂરથી સ્ત્રીના ગાત્રનો સંગ ત્યાગ કરે છે, કોઈક રીતે તે પ્રાપ્ત થયે છતે=પૂર્વમાં ત્યાગ કરાયેલી વસ્તુવિષયક મનથી પણ સ્પર્શનનો રાગ
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy