________________
૩૮૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ नलिनीदलस्रस्तरः, प्लोषयन्ति सिन्दुवारहारादयः, किम्बहुना? हतशरीरकमपि मेऽधुना पापाया दाहात्मकतया वह्निपिण्डायते । ततो दीर्घं निःश्वस्य मलयमञ्जर्याऽभिहितं-भद्रे कपिञ्जले । जानासि वत्सायाः किं पुनरीदृशदाहज्वरकारणम्? मया तु कर्णे स्थित्वा निवेदितं तस्यास्तत्कन्दलिकावचनम् । मलयमञ्जर्याऽभिहितं-यद्येवं ततः किं पुनरत्र प्राप्तकालम् ? अत्रान्तरे समुत्थितो राजमार्ग शब्दो यदुत-सिद्धमेवेदं प्रयोजनं, केवलं वेलाऽत्र विलम्बते । ततः सहर्षया मयाऽभिहितं-स्वामिनि! गृहीतः शब्दार्थः? सा प्राह-बाढं गृहीतः । मयाऽभिहितं-यद्येवं ततः सिद्धमेव वत्सायाः कनकमञ्जर्याः समीहितं, स्पन्दते च मम वामलोचनं अतो नात्र सन्देहो विधेयः । मलयमञ्जरी प्राह-कोऽद्यापि सन्देहः? सिध्यत्येवेदम् ।
કનકમંજરીના ઉપચારનો આરંભ તેને સાંભળીને મલયમંજરી આવી તેથી તે પણ મલયમંજરી પણ, હે કપિંજલા ! આ શું છે, આ શું છે એ પ્રમાણે બોલતી કનકમંજરીને જોઈને વિલાપ કરવા લાગી. તેથી બોલનું બૃહત્તમપણું હોવાથી, હદયનું જનની પ્રત્યે વલ્લભપણું હોવાથી, વિનયનું સ્વભ્યસ્તપણું હોવાથી, થોડીક સંજાત ચેતનાવાળી કનકમંજરી થઈ. એણી વડે કમકમંજરી વડે, શરીર મરડાયું, બગાસું ખાવા માટે પ્રવૃત્ત થઈ. તેથી તેને કનકમંજરીને, પોતાના ઉત્સંગમાં સ્થાપીને મલયમંજરી વડે કહેવાયું – હે વત્સ કનકમંજરી ! તારા શરીરમાં શું પીડા થાય છે ? કનકમંજરી વડે કહેવાયું – હે માતા ! હું કંઈ જાણતી નથી. કેવલ મારા શરીરને દાહજવર બાધા કરે છે. તેથી જ્યાં સુધી આકુલ એવાં અમે તેણીના શરીરને ચંદનના રસથી સિંચન કરીએ છીએ, કપૂરજલના બિન્દુના વર્ષાવાળા પંખાઓને વીંઝીએ છીએ, અંગમાં હિમસેકથી શીતલ જલથી આÁવસ્ત્રો મૂકીએ છીએ, વારંવાર કપૂરથી પૂરિત નાગવલ્લીના પાનની વીટકો સમર્પણ કરીએ છીએ. અન્ય પણ અનેક પ્રકારની શીતક્રિયાને આચરીએ છીએ. ત્યાં સુધી સૂર્યનો ઉદય અસ્તને પામ્યો. ચંદ્ર ઉદયમાં આવ્યો. વિમલ ચંદ્રિકા વડે નભસ્તલ પરિપ્લાવિત થયું. તેથી મારા વડેઃકપિંજલા વડે, મલયમંજરી કહેવાઈ, હે સ્વામિનિ ! ગરમીવાળું આ સ્થાન છે, આથી રાજદુહિતાને પ્રકાશમાં લઈ જવાય. તેણી વડે=મલયમંજરી વડે, કહેવાયું – એ પ્રમાણે કરાય. ત્યારપછી=મલયમંજરીએ કહ્યું કે આ પ્રમાણે કરાય ત્યારપછી, હિમગિરિના વિશાલ શિલાના વિભ્રમને ધારણ કરનાર સુધાથી ધવલ પ્રકાશવાળા ગૃહના તલમાં કોઈક રીતે ધારણ કરાતી કનકમંજરી લઈ જવાઈ. ત્યાં શીતલગૃહમાં, અતિ શીતલ કમલના દલના પલ્લવવાળું શયન રચાવાયું ત્યાં તે શયનમાં, તેણીને કનકમંજરીને, નિવેશ કરાવીને બે ભુજામાં કમળોતા લાલનાં વલયો સ્થાપન કરાયાં. વક્ષ:સ્થલમાં સિવારનો હાર સ્થાપન કરાયો. સ્પર્શન માટે પ્રક્ષેપ માત્રથી મહાસરોવરતા પણ સ્થાન ભાવના સંપાદક બરફ તુલ્ય ઘટ્ટ ભાવના સંપાદક, શીતવીર્યવાળા મહામણિઓ ત્યાં લવાયા. તે પ્રદેશમાં સ્વતઃ જ બલવાળા રોમહર્ષ અને દત્તવીણાથી સજ્જ થયેલા તે ગધવાહનો વર્તે છે. ત્યારપછી મલયમંજરી