SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ કુમાર અને દુર્મુખ મંત્રીનો વિવાદ શ્લોકાર્ધ : ત્યારપછી પિતાએ આ પ્રમાણે કહ્યું ત્યારપછી, પિતાની અનુજ્ઞા મેળવીને દુર્મુખે મને આ પ્રમાણે કહ્યું હે કુમાર ! રાજાની લોકપાલનમાં આવી નીતિ નથી=જે પોતાના ધર્મને માને તે સર્વને કરમુક્ત કરવા એવી નીતિ નથી. ll૪૬II શ્લોક : યત:करापीतजगत्सारो, महसा व्याप्तभूतलः । राजा दिनकराकारो, लोकस्योपरि तिष्ठति ।।४७।। શ્લોકાર્ચ - જે કારણથી કર દ્વારા પાન કરાયો છે જગતનો સાર જેના વડે એવો, તેજ વડે વ્યાપ્તભૂતલવાળો સૂર્યના આકારવાળો સૂર્યના જેવો, રાજા લોકના ઉપર રહે છે લોકો પાસેથી કર ગ્રહણ કરીને જગતમાં સારરૂપે થયેલો તેજથી ઘણા સામ્રાજ્યવાળો રાજા સૂર્યના આકારવાળો લોકના ઉપર રહે છે. II૪૭ી. શ્લોક : यस्तु प्राकृतलोकस्य, वशगः स्यान्महीपतिः । तस्य स्यात्कीदृशं राज्यम् ? को वा न्यायस्तदाज्ञया? ।।४८।। શ્લોકાર્ચ - વળી, પ્રાકૃત લોકને વશ થયેલો જે રાજા છે તેનું રાજ્ય કેવા પ્રકારનું થાય? અથવા તેની આજ્ઞાથી શું ન્યાય થાય ? અર્થાત્ આજ્ઞા વગરનો અસાર રાજા કહેવાય. ll૪૮II શ્લોક - राजदण्डभयाऽभावात्ततो लोका निरङ्कुशाः । दुष्टचेष्टितमार्गेषु, प्रवर्त्तन्ते यथेच्छया ।।४९।। શ્લોકાર્ચ - રાજદંડના ભયના અભાવથી નિરંકુશ થયેલા લોકો દુષ્ટ ચેષ્ટિમાર્ગમાં ઈચ્છા પ્રમાણે પ્રવર્તે છે. II૪૯ll.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy