SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શમનમાં ગરુડ સમાન એવા ભગવાન સબ્રિહિત હોતે છતે પણ અતિક્લિષ્ટ જંતુને પણ આવા પ્રકારનો અધ્યવસાય કેવી રીતે સંભવે ?=જે રીતે બાલ ભરસભામાં મદનકંદલીને ગ્રહણ કરવા માટે આવ્યો એવા પ્રકારનો અધ્યવસાય કેવી રીતે સંભવે ? અર્થાત્ સંભવે નહીં. ભગવાન વડે કહેવાયું. હે મહારાજ ! અહીં=બાલના ચરિત્રમાં, અતિવિસ્મય કરવો જોઈએ નહીં. જે કારણથી તપસ્વી એવા આ પુરુષનો આ દોષ નથી. રાજા પૂછે છે તો કોનો આ દોષ છે?=બાલો આ પ્રવૃત્તિ કરી તેમાં કોનો આ દોષ છે ? ભગવાન કહે છે – આના શરીરથી નીકળીને જે આ બહિર રહેલો પુરુષ તારા વડે જોવાયો ? રાજા વડે કહેવાયું – અત્યંત જોવાયો છે. ભગવાન કહે છે – જો આ પ્રમાણે છે=આના શરીરમાંથી નીકળેલો પુરુષ તારા વડે જોવાયો છે એ પ્રમાણે છે તો આનો જ=બાલના શરીરમાંથી નીકળેલા બહાર બેઠેલા સ્પર્શત નામના પુરુષનો જ, આ સમસ્ત દોષ છે. જે કારણથી આને વશવર્તી=સ્પર્શનને વશવર્તી, એવા આના વડે=બાલ વડે, પૂર્વમાં આ સમસ્ત આચરણ કરાયું. આનાથી=સ્પર્શનથી, વશ થયેલા પુરુષો જગતમાં તે કંઈ નથી જ, કે જે પાપને આચરતા નથી. તે કારણથી=સ્પર્શતનો આ સર્વ દોષ છે તે કારણથી, આમાંકબાલની આચરણામાં, કંઈ અલૌકિક વિચારણાથી અતીત અથવા અશ્રદ્ધેય તારા વડે સંભાવના કરવી જોઈએ નહીં. રાજા કહે છે – હે ભગવંત ! જો આ પ્રમાણે છે=આ સ્પર્શનનો સર્વ અનર્થ છે એ પ્રમાણે છે, તો કયા કારણથી આત્માનો અનર્થ હેતુ પણ શરીરવર્તી એવા આનેત્રસ્પર્શતને, આ પુરુષે=બાલે ધારણ કર્યો ? ભગવાન કહે છે – આ વરાક એવો બાલ આવી દુઃશીલતા=સ્પર્શતની દુશીલતાને જાણતો નથી. પરમશત્રુ પણ આ=સ્પર્શન, આના વડે=બાલ વડે, સ્નિગ્ધબંધુબુદ્ધિથી ગ્રહણ કરાયો છે. નરપતિ પૂછે છે=ભગવાનને પ્રશ્ન કરે છે. અહીં પરમશત્રુભૂત પણ સ્પર્શનેન્દ્રિય સ્નિગ્ધબંધુબુદ્ધિથી બાલ ગ્રહણ કરે છે એમાં, વળી શું કારણ છે ? ભગવાન વડે કહેવાયું – આના=બાલના, શરીરમાં યોગશક્તિ દ્વારા કરાયેલી અનુપ્રવેશવાળી અકુશલમાલા નામની માતા છે=બાલમાં પૂર્વે બંધાયેલાં અકુશલકર્મો જે સત્તામાં હતાં તે વિપાકને અભિમુખ થાય છે ત્યારે તે કર્મો બાલને તે પ્રકારે અધ્યવસાય ઉત્પન્ન કરે તેવાં હોવાથી મતિજ્ઞાનના ઉપયોગરૂપે બાલમાં વર્તે છે તે યોગશક્તિ દ્વારા બાલના શરીરમાં પ્રવેશ કરેલી અકુશલમાલા નામની માતા છે, તે અકુશલમાલા, આમાં=બાલને શત્રુભૂત પણ સ્પર્શન મિત્રભૂત જણાય એમાં, કારણ છે=અકુશલકથી જ જીવની વિપર્યાસવાળી બુદ્ધિ થાય છે તેથી શત્રુભૂત પણ સ્પર્શનના વિકારવાળું માનસ સુખના કારણભૂત પ્રતીત થાય છે તે અકુશલમાલાનું કારણ છે. વળી, જે આ અતિદુર્જય હમણાં જ સ્પર્શનેન્દ્રિય અમારા વડે પ્રતિપાદિત કરાયેલ તદ્રુપ જ આ સ્પર્શત નામનો આનો–બાલનો, પાપમિત્ર વર્તે છે. વળી, આ બાલ જઘન્યપુરુષ છે અને તેના અભિધાનથી જ=જઘન્યપુરુષના અભિધાનથી જ, અકુશલમાલારૂપ આની માતા જ છે=અકુશલકર્મોની હારમાળા જ બાલને આવા પ્રકારના સ્વભાવવાળો નિર્માણ કરે છે. તે કારણથી=સ્પર્શન એવો પાપમિત્ર છે અને અકુશલમાલા એની જનની છે તે કારણથી, આમાં બાલમાં, શું સંભાવના ન કરી શકાય ? અર્થાત્ સર્વ કંઈ સંભવી શકે છે.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy