SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : यदा पुनर्विशेषेण, तिष्ठेत्तेषां जिनागमः । स्पर्शनेन्द्रियसम्बन्धं, त्रोटयन्ति तदाऽखिलम् ।।७९।। શ્લોકાર્ય : જ્યારે વળી, તેઓને જ જિનાગમ વિશેષથી સ્થિર થાય છે=જિનાગમમાં જ્ઞાતતત્વવાળા ગૃહસ્થોને શાસ્ત્રોનો બોધ વિશેષથી આત્મામાં પરિણમન પામે છે. ત્યારે સંપૂર્ણ સ્પર્શનેન્દ્રિયના સંબંધને તોડી નાખે છેઃસ્પર્શનેન્દ્રિયરૂપ કાયાની સાથે ભાવથી કંઈક બહિચ્છાયાથી સંબંધ હતો તેનો ત્યાગ કરે છે. II૭૯IL. શ્લોક : यतो दीक्षां समादाय, निर्मलीमसमानसाः । सन्तोषभावतो धन्या, जायन्तेऽत्यन्तनिःस्पृहाः ।।८।। શ્લોકાર્થ : જે કારણથી દીક્ષાને ગ્રહણ કરીને નિર્મલ માનસવાળા=ધર્મના ઉપકરણ સિવાય દેહનો પણ ત્યાગ કરે તેવા નિર્મલ માનસવાળા, સંતોષના ભાવથી અત્યંત નિઃસ્પૃહ ધન્ય થાય છે. IIcell શ્લોક : ततस्ते भवकान्तारनिर्विण्णा वीतकल्मषाः । स्पर्शनप्रतिकूलानि, सेवन्ते धीरमानसाः ।।८१।। શ્લોકાર્ચ - તેથી ભવરૂપી અટવીથી નિર્વેદ પામેલા એવા તેઓ વીતકલ્મષવાળા=સંશ્લેષના પરિણામરૂપ કાદવથી રહિત પરિણતિવાળા, ધીરમાનસવાળા સ્પર્શનના પ્રતિકૂલોને સેવે છે. ll૮૧il. શ્લોક : भमिशयनलोचादिकायक्लेशविधानतः । ततः सुखस्पृहां हित्वा, जायन्ते ते निराकुलाः ।।८२।। શ્લોકાર્થ : ભૂમિશયન, લોયાદિ કાયલેશના વિધાનથી સુખની સ્પૃહાને છોડીને ત્યારપછી તેઓ નિરાકુલ થાય છે=દેહને ફ્લેશ આપીને અશાતાકૃત દુઃખનો અનુભવ કરતા નથી, પરંતુ સુખની સ્પૃહાને છોડીને ચિત્તને સમભાવથી વાસિત કરે છે. તેથી તેઓ સમભાવના પરિણતિના બળથી નિરાકુલ થાય છે. llcરા.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy