SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ઉપદેશમાં વર્તતા એવા મને હાલમાં ક્લેશ પ્રાપ્ત થયો નહીં, અયશ ઉદીરણ થયો નહીં=લોકમાં મારો અપયશ ઉદીરણ થયો નહીં. વળી, પૂર્વમાં વિપરીતચારી એવા મતેમનીષીના ઉપદેશથી વિપરીત આચરણ કરનારા અને બાલ પાછળ જનારા એવા મને, બંને પણ પ્રાપ્ત થયા હતા=ફ્લેશ પણ પ્રાપ્ત થયો હતો અને અપયશ પણ પ્રાપ્ત થયો હતો. વળી, એકાંતથી મનીષીના વચનથી વિપરીત આચરણામાં તિરત એવા બાલને જે દુઃખનો સમૂહ પ્રાપ્ત થાય છે, જગતમાં અપયશનો પટહ વિસ્તાર પામે છે. મરણ થાય છે, તેમાં શું આશ્ચર્ય ? તે કારણથી મારી પણ કંઈક ધન્યતા છે જેના કારણે મનીષીના વચનમાં બહુમાન થયું. શ્લોક : तथाहिनैवाभव्यो भवत्यत्र, सतां वचनकारकः । पक्तिः काङ्कटुके नैव, जाता यत्नशतैरपि ।।१।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – અહીં=લોકમાં, અભવ્યઅયોગ્ય જીવ, સતપુરુષોના વચનને કરનાર નથી. સેંકડો યત્ન વડે પણ કોરડામગમાં પાક ક્રિયા થાય નહીં કોરડા મગ જેવા બાલમાં સેંકડો યત્નથી પણ મનીષીનું વચન સમ્યગૂ પરિણમન થાય નહીં. ||૧|| શ્લોક : एवं भावयतश्चित्ते, बालस्नेहं विमुञ्चतः । प्रमोदपूर्णचित्तस्य, लघितं तस्य तद्दिनम् ।।२।। શ્લોકાર્ય : આ રીતે ચિત્તમાં ભાવન કરતા બાલના સ્નેહને મૂક્તા પ્રમોદ પૂર્ણચિત્તવાળા એવા તેનો=મધ્યમબુદ્ધિનો, દિવસ પસાર થયો. ચા શ્લોક : ततः समागते बाले, लोकाचारानुवर्त्तनम् । कुर्वता विहितं तेन, तस्य संभाषणं किल ।।३।। શ્લોકાર્થ : ત્યારપછી બાલ આવે છતે લોકાચારના અનુવર્તનને કરતા તેના વડે=મધ્યમબુદ્ધિ વડે, તે બાલને સંભાષણ કરાયું. Il3IL.
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy