SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ માગ્યું? તે “કુતથી બતાવે છે – હિસકર્મમાં મને તમારા વડે પુછાયું જોઈએ નહીં તે વરદાન રાજા વડે સ્વીકારાયું, તેથી સુબુદ્ધિને પૂછ્યા વગર જ શત્રુમદલ વડે રાજપુરુષોને આદેશ અપાયો, શું આદેશ અપાયો ? તે “યતથી બતાવે છે – આ નરાધમને બહુપ્રકારે કદર્થના કરીને મારી નાખો, તે સાંભળીને મહારાજ્યલાભની જેમ લોકોને પ્રમોદ અતિશય થયો. ત્યારપછી ગધેડા ઉપર સમારોપણ કરાયો, શાવમાલાથી વિલંબિત કરાયો, લાકડી, મુઠ્ઠી અને મહાલોષ્ઠના પ્રહારથી ચારે બાજુથી ચુરાતો, વિરસધ્વનિથી રડતો, મોટા કલકલવાળા કર્ણમાં કટુ એવા આક્રોશ વચનો વડે મનમાં પીડાતો સમસ્ત ત્રિક-ચતુષ્ક-ચત્વર-હટ્સમાર્નાદિમાં ફેરવાતો બાલ વિડંબિત કરાયો. ત્યારપછી વગરનું વિશાલપણું હોવાથી તેનું બાલનું પ્રાયઃ પ્રેક્ષણકપણું હોવાથી લોકોને જોવા યોગ્ય હોવાથી, ભ્રમણ વડે જ દિવસ અતિક્રાંત થયો. સંધ્યાકાળે વધ્યસ્થાને લઈ જવાયો, વૃક્ષની શાખામાં લટકાવાયો, લોકે નગરમાં પ્રવેશ કર્યો, ભવિતવ્યતા વિશેષથી તેનો પાશક તૂટ્યો, ભૂતલમાં પડ્યો, મૂચ્છને પામ્યો, મૃતરૂપપણાથી રહ્યો, વાયુથી સ્પર્શ કરાયો, ચેતના પ્રાપ્ત થઈ. પૃથ્વીના ઘર્ષણથી ઘસડાતો ગૃહને અભિમુખ જવા માટે પ્રવૃત્ત થયો. ભાવાર્થ: પૂર્વમાં વર્ણન કર્યું કે મનીષીએ મધ્યમબુદ્ધિની કરુણાથી તેને કહ્યું કે તારે બાલ પ્રત્યે સ્નેહવશ થઈને કંઈ કરવું જોઈએ નહીં. પરંતુ તેનાથી સદા દૂર રહેવું જોઈએ. તે કથન કર્યા પછી મધ્યમબુદ્ધિ લોકલજ્જાથી ઘરમાં રહીને બાલથી દૂર રહેવા યત્ન કરે છે. તે વખતે બાલને શું થાય છે? તે બતાવતાં કહે છે – બાલના શરીરમાં જે સ્પર્શનના વિકારો હતા અને અકુશલકર્મોનો ઉદય હતો તેનાથી તેને સર્વ અકાર્ય કરવાની પ્રેરણા થતી હતી તે હવે બહિરૂપે પ્રગટ થઈને જાણે વાર્તાલાપ ન કરતાં હોય તેમ બાલને સ્પર્શન અને અકુશલમાલા ફરી ફરી અકાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેનાથી પ્રોત્સાહિત થયેલા બાલના શરીરમાં ફરી સ્પર્શનનો વિકાર અને અકૃત્ય કરવાને અનુકૂળ દુર્બુદ્ધિ પ્રગટ થઈ; કેમ કે સ્પર્શનને કારણે કામનો વિકાર ઊઠ્યો અને અકુશલકર્મોના વિપાકથી દુબુદ્ધિ થઈ તેથી મદનકંદલીના વિચારોમાં જ શય્યામાં વ્યાકુળ વ્યાકુળ થતો રહે છે અને રાત્રિમાં ઊઠીને અકુશલકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી દુર્બુદ્ધિને વશ મદનકંદલીને પ્રાપ્ત કરવા માટે રાજમહેલમાં ગયો. કોઈક રીતે રાજમહેલમાં પ્રવેશ પામીને રાજાની શધ્યાને જોઈને સ્પર્શનને વશ થઈને તે શય્યામાં સૂએ છે. સ્પર્શનના વિકારથી મૂઢ થયેલો રાજાના આગમનનો પણ વિચાર કરતો નથી. તેની શય્યામાં ઓઢીને સૂઈ જાય છે. જ્યારે રાજાનું આગમન જુએ છે ત્યારે ભયભીત થઈને પલંગમાંથી નીચે પડે છે. તે વખતે કેટલાંક કારણોથી તે ભયભીત થાય છે તેને ગ્રંથકારશ્રીએ અનુભવ અનુસાર બતાવેલ છે, જેનાથી પદાર્થને જોવાની વાસ્તવિક પ્રજ્ઞા પ્રગટે છે, જેમ શત્રુમર્દન રાજા અતિ તેજસ્વી છે તેથી બાલ ભયભીત થાય છે. વળી, બાલનું હૃદય સત્ત્વ વગરનું હોવાથી ભયભીત થાય છે. વળી, અકાર્ય ભયનો હેતુ છે અને બાલે રાજાની પથારીમાં સૂઈને અકાર્ય કર્યું છે તેથી ભયભીત થાય છે, આ રીતે ભયભીત થવાના બહિરંગ કારણો બતાવ્યા પછી ભયભીત થવાનું અંતરંગ કારણ બતાવે છે. કર્મવિલાસ તેને પ્રતિકૂળ છે. તેથી જ ગુપ્ત રીતે રાજમહેલમાં પ્રવેશ્યા પછી તેનું અકાર્ય પ્રગટ થાય તે રીતે રાજા પાસે તે પ્રગટ થાય છે. જો કર્મવિલાસ અનુકૂળ હોય તો અકાર્ય પણ પ્રગટ થાય નહીં પરંતુ બાલ
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy