________________
૧૩૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - વિચક્ષણા કહે છે. આમાં=આપણા બેને કાલવિલંબ ફલિત થયો એમાં, શું સંદેહ છે? અર્થાત્ સંદેહ નથી. હે નાથ ! વસ્તુમાં પર્યાલોચિત કરનારાઓને શું સુંદર થતું નથી અર્થાત્ કોઈક તેવો પ્રસંગ આવે ત્યારે માર્ગાનુસારી બુદ્ધિથી પર્યાલોચિત કરનારા જીવોને સર્વ પ્રકારનું સુંદર થાય છે. ll૧૫II. શ્લોક :
ततः प्रीतिसमायुक्ती, संजातौ देवदम्पती ।
सद्धर्मलाभादात्मानं, मन्यमानौ कृतार्थकम् ।।१६।। શ્લોકાર્ય :
તેથી સદ્ધર્મના લાભથી પોતાને કૃતાર્થ માનતાં દેવદંપતી પ્રીતિથી યુક્ત થયાં. ll૧૬ll શ્લોક -
इदं पुत्र! मया तुभ्यं, कथितं मिथुनद्वयम् ।
संदिग्धेऽर्थे विलम्बेन, कालस्य गुणभाजनम् ।।१७।। શ્લોકાર્ચ - ' હે પુત્ર ! મારા વડે–સામાન્યરૂપા વડે, તને-મધ્યમબુદ્ધિને, આ મિથુનદ્રય કહેવાયું. સંદિગ્ધ અર્થમાં કાલના વિલંબથી ગુણનું ભાજન છે.
મધ્યમબુદ્ધિમાં વર્તતાં મધ્યમ પ્રકારનાં કર્મો પ્રસ્તુત દૃષ્ટાંત દ્વારા તેને કાલનું વિલંબન સંદિગ્ધ અર્થમાં ગુણનું ભાન છે તેમ બતાવીને સ્પર્શન સાથેની મૈત્રી ઉચિત છે, તેમ માનવું અથવા મનીષી કહે છે કે સ્પર્શન શત્રુ છે તેમ માનવું એ રૂપ સંદિગ્ધ અર્થમાં કાલનું વિલંબન લેવું ઉચિત છે તેમ મધ્યમબુદ્ધિ નિર્ણય કરે છે. II૧૭ના શ્લોક :
ततश्चसंदिग्धेऽर्थे विधातव्या, भवता कालयापना ।
पश्चाद् बहुगुणं यच्च, तदेवाङ्गीकरिष्यते ।।१८।। શ્લોકાર્ય :
અને તેથી=સંદિગ્ધ અર્થમાં કાલવિલંબન ઉચિત છે તેથી, સંદિગ્ધ અર્થમાં તારા વડે=મધ્યમબુદ્ધિ વડે, કાલથાપના કરવી જોઈએ=કાલવિલંબન કરવું જોઈએ, અને પાછળથી જે બહુગુણવાળું છે તે જ અંગીકાર કરાશે. ll૧૮.