SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બુદ્ધિનું, મુગ્ધપણાથી વંચિત ન થાઓ, એથી શિક્ષા આપું એમ અવાય છે. તેથી એકાંતમાં મધ્યમબુદ્ધિ મનીષી વડે કહેવાયો – હે ભદ્ર ! આ સ્પર્શત ભદ્રક નથી=સુંદર નથી. વિષયાભિલાષથી પ્રયુક્ત આ=સ્પર્શન, લોકોનો વંચક ભટકે છે. મધ્યમબુદ્ધિ કહે છે – કેવી રીતે ?=આ સ્પર્શત લોકોને કઈ રીતે ઠગે છે ? તેથી મનીષી વડે બોધ અને પ્રભાવથી ઉપલબ્ધ સમસ્ત પણ તે સ્પર્શતની મૂલશુદ્ધિ કહેવાઈ=મધ્યમબુદ્ધિને કહેવાઈ, મધ્યમબુદ્ધિ વડે વિચારાયું, સ્વઅનુભવસિદ્ધ આ સ્પર્શનની મારા સંબંધની વત્સલતા, અચિંત્ય પ્રભાવતા અને સુખહેતુતા છે. જ્યારે મને કોમળ સ્પર્શની ઈચ્છા સ્પર્શને પ્રગટ કરી ત્યારે તેના અચિંત્ય પ્રભાવથી મને સુખ થયું અને સ્પર્શત મને અતિ અનુકૂળ છે તે મને અનુભવસિદ્ધ છે. અને આ પણ મનીષી અયુક્તભાષી નથી=પૂર્વ અપર વિચારીને કહેનાર છે, યથાતથા પ્રલાપ કરનાર નથી. તે કારણથી અહીં=સ્પર્શનના વિષયમાં, શું તત્ત્વ છે ? તે હું જાણતો નથી. ખરેખર સ્પર્શત મારો શત્રુ છે કે મિત્ર છે તે હું જાણતો નથી. આ પ્રમાણે સ્થિત હોતે છતેકમનીષીના વચનથી મધ્યમબુદ્ધિની બુદ્ધિ અનિર્ણયવાળી થયે છતે, હું શું કરું? એ પ્રમાણે મધ્યમબુદ્ધિ વિચારે છે. અથવા આ ચિંતન વડે શું? માતાને પૂછું. સામાન્યરૂપ જે કર્યો છે તેને હું અનુસરણ કર્યું તેનાથી ઉપદિષ્ટ હું આચરણ કરીશ. એ પ્રમાણે વિચારીને સામાન્યરૂપા માતા સમીપમાં તે ગયો, પાદપતન કરાયું, તેણી વડે આશીર્વાદ અપાયા, ભૂમિતલમાં તિવિષ્ટ થયો–મધ્યમબુદ્ધિ બેઠો, વ્યતિકર નિવેદન કરાયું=સ્પર્શન વિષયક મનીષીએ જે કંઈ કહેલું છે અને પોતાને સ્પર્શત વિષયક શું અનુભવ છે તે વ્યતિકર માતાને કહ્યો. સામાન્યરૂપા માતા વડે કહેવાયું - હે વત્સ !તારા વડે હમણાં સ્પર્શત અને મનીષી બંનેનું પણ વચન અનુવર્તન કરતા અવિરોધથી મધ્યસ્થપણા વડે જ રહેવું યુક્ત છે. કાલાન્તરમાં વળી, જે બલવત્તરપક્ષ થાય તે જ આશ્રય કરવો જોઈએ. શ્લોક : तथाहिसंशयापन्नचित्तेन, भिन्ने कार्यद्वये सता । कार्यः कालविलम्बोऽत्र, दृष्टान्तो मिथुनद्वयम् ।।१।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે ભિન્ન કાર્ય-દ્વયમાં સંશયઆપન્ન ચિત્તવાળા સતપુરુષ વડે કાલવિલંબ કરવો જોઈએ. એમાં=સંશયઆપન્ન ચિત્તવાળા જીવે કાલવિલંબ કરવો જોઈએ એમાં, મિથુનદ્વય દષ્ટાંત છે. III ભાવાર્થ : બાલને સ્પર્શને પોતાની અપૂર્વ યોગશક્તિ બતાવી તેથી બાલ સ્પર્શેન્દ્રિયના વિકારમાં સર્વસુખોને જોનારો થયો. તેથી દિવસ-રાત સર્વ પ્રવૃત્તિઓને છોડીને સ્પર્શનાં સુખોને જ સેવે છે. લોકોની નિંદનીયતા, કુલકલંક
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy