SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૬ २३७ સુખપૂર્ણાંક રહે છે. પ્રવર પણ પોતાના માણસાને સાથે લઈને ખેતરમાં ખેતી કરવા માટે અવરનવર આવે છે અને પેાતાના હલ વિગેરે ખેતરમાં મૂકીને ઘેર જાય છે. એવામાં એક દિવસ પ્રવર ખેતરમાં ખેતી કરતા હતા ત્યાં માકાશમાં ઘનઘેાર વાદળ ઘેરાઈ આવ્યાં. મેત્રની ગર્જના થવા લાગી. હાથીની જેમ ગના કરતા વરસાદ તૂટી પડ્યેા. ચારે બાજુ વિજળીના ચમકારા અને સૂસવાટા કરતે પવન વહેવા લાગ્યા. જાણે-મારૂ અસ્તિત્વ હોવા છતાં ગ્રીષ્મ ઋતુરાજ આ પૃથ્વીને શ્રા માટે તપાવે ? નદીએ સાવરે, અને વૃક્ષેાને શા માટે શેાષાવુ પડે? એમ માનીને જાણે વર્ષાં ચાલુ થઈ ન હોય ! અથવા લાંખા સમયના વિરહથી તમ થયેલી પેાતાની પ્રાણપ્રિયા પૃથ્વીરૂપી સ્ત્રીના કામસતાપને દૂર કરવા માટે જાણે ના માન્યો હોય ! આ પ્રમાણે ધોધમાર વરસાદ થવાથી પેાતાની પત્નીને મળવા માટે ઉત્સુક બનેલા પ્રવાસીએ પોતાના કામ અડધા સૂકીને પેાત પેાતાના ઘેર આવી ગયા તે રીતે પ્રવર પશુ કામાસક્ત બનેલે અને વર્ષાથી ભીજાઇ ગયેàા હલ વિગેરે બધા સાધના ધ્રુજતા ધ્રૂજતા ઘેર પહોંચી ગયા. ખેતરમાં મૂકીને પત્ની સાથેના ભાગ-સંચાગમાં જેમ એકાંત શેાધાય છે તેમ વરસાદે પણ જંગલને એકાંત કરી ધુ! ચિરકાલની વિયેાગી પૃથ્વીરૂપી પત્નીને સાત દિવસ-રાત ભાગવીને મેઘ તેના સ ંગથી વિરામ પામ્યા. અર્થાત્ સાત દિવસ રાત્રિ સુધી વસીને વરસાદ શાંત થયા. સતત વર્ષાથી જીવે। દુખી થયા. તે શિયાળણીનાં બે બચ્ચાં પણુ ક્ષુધાતુર થઈ ગયાં. આઠમે દિવસે જ્યારે વરસાદ શાંત થઈ ગયા ત્યારે ક્ષુધાતુર બનેલાં શિયાળનાં બચ્ચાં વૃક્ષના કેટરમાંથી બહાર નીકળ્યાં જમીન અને હલની સાથે ખાંધેલી વરસાદથી ભીજાઈ ગયેલી ચામડાની દોરીને ક્ષુધાતુર થયેલા બચ્ચાએ ભક્ષણ કરી ગયા. ચામડાની દેરીનુ' ભક્ષણ કરવાથી બંનેને પેટમાં શૂળ ઉત્પન્ન થયુ. શૂળની તીવ્ર વ્યથાથી તે બને બચ્ચાએ મરાને કોઈ પૂર્વના પુણ્યે આ જ શાલિગ્રામના સામશર્મા બ્રાહ્મણને ત્યાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે પુત્રા થયા. તા હે અગ્નિભૂતિ વાયુભૂતિ, થાડા જ વર્ષો પહેલા ત્યજેલી પેાતાની જાતને શુ' ભૂલી ગયા ? બ્રાહ્મણ જાતિ પામીને મિથ્યાભિમાન કરેછે ? અને સમસ્ત લેાકેાથી વજય એવુ' ચામડું' થોડા જ સમય પહેલાં તમાએ ખાધેલુ હાવા છતાં નગરજને સમક્ષ સાધુ પુરૂષાની નિદા કરે છે! ? આવા પ્રકારનાં પૂજન્મના સ્વરૂપને સાંભળી પાપકા નાશ કરવા માટે ડાહ્યા માસાએ પુણ્ય કાર્ય કરવું જોઈએ. પુણ્ય વિનાના પ્રાણીને દુષ્ટ જાતિ, તુચ્છકુલ, કુરૂપતા, દૌખલ્ય, અજ્ઞાનતા, અજ્ઞાનકષ્ટ, અને નીચકુલ આદિ નિ'નીયલ આ લેક અને પરલેાકમાં મળે છે, જાતિમદ, કુલમદ, આદિ આઠે પ્રકારના મદથી રહિત પુણ્યવાન પ્રાણીને આલેક અને પરલેાકમાં પ્રશંસનીય વસ્તુની પ્રાપ્તિ થાય છે. પુન્યશાળી પ્રાણીને જયાં દસ પ્રકારની સુખસામગ્રી ડાય તેવા સ્થાનમાં મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય છે. (૧) પાંચે
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy