SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. ૧૮૩ પર્યુષણ પર્વ પંચમીથી ચોથમાં પરિવર્તક યુગપ્રધાન શ્રી શ્યામાચાર્ય (કોલકાચાર્ય) મ. નિ. ૩૭૬ વર્ષે સ્વર્ગસ્થ થયા બાદ શ્રી શાંડિત્ય યુગપ્રધાનપદે આવ્યા હતા. તેમને યુગપ્રધાનત્વકાલ મ. નિ. ૩૭૬ થી ૪૧૪ સુધી ૩૮ વર્ષ હતે. નક્કિસૂત્રની સ્થવિરાવલીમાં તેમને આર્ય છતધર એટલે આર્ય સૂત્ર કે પરંપરાના ધારણ કરનારા કહ્યા છે. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીગણ સ્વકૃત પટ્ટાવલીમાં તેમને જીત મર્યાદા કરનારા કહે છે. સંભવ છે કે, તેમણે પરંપરાગત આચારની કઈ ચોક્કસ મર્યાદા નક્કી કરી હોય. આવી સામાન્ય હકીકતની નેંધ સિવાય જૈન સાહિત્યમાંથી તેમના વિશે વિશેષ જાણવા મળતું નથી. ગદંભિલ્લ ૧૩ વર્ષ, મ. નિ. ૩૯૪-૪૦૭ (વિ. સં. પૂ. ૧૬-૩, ઇ. સપૂ. ૭૩-૬૦ જેન કાલગણનાની ગાથાઓમાં નાહવાહણ' પછી બલિનું રાજ્ય લખ્યું છે આ ગદંભિલ્લ કયી રીતે નભવાહનને વારસ હતું, એ ત્યાં લખાયું નથી, પરંતુ હિમવંતથેરાવલીમાં સ્પષ્ટ લખાયું છે કે, “તે પછી (નવાહન પછી) તેને પુત્ર ગભીવિદ્યાવાળે ગઈભલ્લ રાજા ઉજજયિનીમાં રાજ્ય પામ્યો.” ૨૪૩ સંશોધકોએ નવાહનને ક્ષહરાટ નહપાણ માની તેને અપુત્રી કહે છે અને નવાહન તથા ગર્દભિન્ન એ બેની વચ્ચે કે વંશાદિ સંબંધ ન જણાયાથી ગભિલૂના સંબંધમાં તેઓએ અનેક પ્રકારની અવનવી કલ્પનાઓને આશ્રય લીધો છે. જેને સાહિત્ય કહે છે કે, “આ રાજાનું નામ “પણ” -દર્પણ હતું, પરંતુ તેણે ગભીવિદ્યા સાધી હતી તેથી તે ગદંબિલના નામે પ્રસિદ્ધિને પામ્યો હતે” એનું ગંધર્વસેન એવું પણ નામ લેકસાહિત્યની કથાઓમાં પ્રસિદ્ધિને પામેલું છે. આ ગંધર્વસેન નામ શું મૂળમાં સાચું હશે કે ગર્લભસેનામાંથી સુધરીને ગંધવસેન થયું હશે? એ નામને “ગધરૂપ” એ પણ અપભ્રંશ થયો છે. વળી ગભિલનું ઘુરૂપ એવું પણ નામ મળે છે. આ દુરૂપ” પણ તેનું વાસ્તવિક નામ છે કે દર્પણનું થઈ ગયેલું રૂપાન્તર છે? કદાચ, “હુરૂપ એ “ગધરૂપ'માંથી સંસ્કારિત કર્યું હોય તે પણ ના નહિ. પુરાણમાં આ ગદંબિલના વંશજો ગર્દશિલ્લોથી જ ઓળખાયા છે, એથી સમજાય છે કે, ગભિલથી ગર્દભિલ્લવંશ ચાલો હાઈ “ગદલિ@” એ નામ પુરાણેને પણ સુપરિચિત હતું. સર્વને સુપરિચિત એવા ગર્દભિલ્લ નામવાળે આ આલેખાતે રાજા ઉજજયિનીની ગાદી પર આવ્યો તે પહેલાં તે કયાં રહેતું હતું, કેવી સ્થિતિમાં હતો અને કયા વંશનો હત, આ વિષે જેવા જોઈએ તેવા સંતોષજનક અને મતાન્તર વગરના ઉલ્લેખ ન મળી શકતા હોવાથી, તે રાજાનું જેમ ગભિલ એવું નામ નક્કી કરાય છે, તેમ ઉજજયિનીના (૨૪૩) “તો તરત (વાહનને) કુત્તો દદીવાની જરટિ ળિો ગતીનો હિમ. થેરા પૃ. ૭ (મુકિત) જ જે
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy