SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ અવંતિનું આધિપત્ય નિ. ૨૧૪ માં અશકે ધર્મ પરિવર્તન કર્યું હતું. શિલાશાસન નં. ૧ ને અર્થ બેસાડ મી. સ્મીથને અઘરા લાગે છે, “ભારત કે પ્રાચીન રાજવંશના લેખકને પણ એ શિલા. લેખના અમુક પાઠમાં નિશ્ચિતતા નથી, એનું કારણ તેમાં દર્શાવેલ “૨૫૬’ સંખ્યાંક અને તેની સહસ્ત્રામની નકલના “લુ વર્ષના સ્ત્રાતિ (૬) સત્તા વિગુણા-તિ એ અક્ષરો કઠીણ અને અનિશ્ચિત જણાયા હોય તેમ લાગે છે. મને લાગે છે કે, એ અંક અને અક્ષરોને અર્થ કેટલાકે-સહસ્રામની નકલ પ્રમાણે “આ શ્રાવણ (સંખ્યામાં) ભૃષ્ટએ (સંભળાવ્યું છે). કારણકે, બસો વધતા છપ્પન વ્યક્તિએ ફેરણીએ નીકળી પડી છે.” આવી રીતે કરી રહ્યા છે તેમ નહિ, પરંતુ “ભારત કે પ્રાચીન રાજવંશ'માં “ યહ ઉ૫દેશ બુદ્ધને ૨૫૬ (વર્ષ પૂર્વે ?) સુનાયા થા” આવી રીતે અનુવાદિત થયો છે તે રીતે જ છે. કારણકે, આ લેખનું ફરમાન બહાર પડયું ત્યારે, બુદ્ધ પિતાની ૩૫ વર્ષની વયે બુદ્ધત્વ પામી ઉપદેશ આપે શરૂ કર્યો ત્યારથી ૨૫૬ વર્ષ વીત્યાં હતાં, અથવા તે ૨૫૬ મું વર્ષ ચાલતું હતું. નં. ૧ ના આ નાના શિલાગાસનની શરૂઆતમાં અશેક કહે છે કે – “હાઈ વસે અધિક હુએ કિ મેં ઉપાસક હવા હું પરંતુ એક વર્ષ તક પૂરી ઉન્નતિ નહીં કી પર એક વર્ષસે અધિક હબ કી મને સંઘમેં પ્રવેશ કિયા ઔર અચ્છી ઉન્નતિ કી” આનો અર્થ એ થાય છે કે, અશોક બોદ્ધ થયા પછી એક વર્ષ સામાન્ય ઉપાસક રહ્યો પણ પાછળ રેઢ વર્ષ એટલે આ શિલાલેખવાળું ફરમાન કર્યું ત્યાં સુધીમાં તેણે બોદ્ધસંઘની પ્રવૃતિમાં સંવિશેષ ભાગ લીધે. પિતાના રાજ્યાભિષેકથી ૪ થા વર્ષે બૌદ્ધ થયે અને તે પછી અઢી વર્ષે આ ફરમાન કાઢયું એમ સારા-૬ વર્ષ રાજ્યાભિષેકથી આ ફરમાન સુધીમાં થયાં. બુદ્ધના ધર્મપ્રચારથી નિર્વાણ સુધીનાં વર્ષ, ૮૦-૩૫-૪૫ છે૪૮ અને નિર્વાણુથી અશે. કનો રાજ્યાભિષેક ૨૦૪ વર્ષે છે, એ બને મળી ૨૪૯ વર્ષ થયાં એમાં શાજ્યાભિષેકથી ફરમાન સુધીનાં ઉપરોક્ત ૬ વર્ષ મેળવીએ ૨૫૫ વર્ષ થાય, અને આ ગતવર્ષ હતાં ઉપરોક્ત શિલાલેખના ફરમાન વખતે ચાલુ ૨૫૬ મું વર્ષ હતું. બુદ્ધના ધમપ્રચારથી નં. ૧ ના શિલાશાસન સુધીનાં ૨૫૬ ૦ર્ષ હતાં, હિમવત થેરાવલીની ગણતરીથી અશોક પિતાની રાજ્યપ્રાપ્તિથી ૪ વર્ષ પછી અને બૌદ્ધગણતરીથી તે રાજ્યાભિષેક પછી ૪ થી વર્ષે એટલે મ. નિ. ૨૧૪ માં ૪૯ બૌદ્ધ ઉપાસક થયે હતું એમ સિદ્ધ થાય છે. આમ (૧૪૮) શ્રીબુદ્ધ ધર્મોપદેશ દેવાનું કાર્ય ૩૫ વર્ષની વયે શરૂ કર્યું હતું અને તેઓ ૮૦ વર્ષની વયે પરિનિર્વાણ પામ્યા હતા, તે હિસાબે પ્રથમ ઉપદેશથી પરિનિર્વાણ સુધીનાં ૮૦-૩૫=૫ વર્ષ થાય. બુદ્ધનિર્વાણથી અહિ બુદ્ધકૈવલ્ય નહિ પણ બુદ્ધપરિનિર્વાણ સમજવાનું છે. (૧૯) હિમવંત થેરાવલી મ. મિ. થી ૨૯ વર્ષ વીત્યા બાદ અશોકનું રાજ્ય લખે છે એટલે મ. નિ. ૨૧૦ માં અશોકનું રાજ્ય અને તે પછી ૪ વર્ષ વીત્યા બાદ એટલે મ નિ. થી ૨૧૩ વર્ષ ક વીત્યા બાદ ચોકનું બૌદ્ધધર્મમાં પરિવર્તન થયું હતું એમ સમજવું, જયારે બૌહસં મુહપરિનિર્વાણ ૨૦૪માં એટલે મ. નિ. ૨૧૧માં અશોનું રાજ્ય લખે છે અને તેથી ચેથા વર્ષમાં એટલે મ. નિ. ૨૧૪માં બૌદ્ધ થયાનું લખે છે.
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy